SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ 155 જૈન કાળચક્ર અને કૉસ્મિક કેલેન્ડર થાય છે, નહિ કે એકકોષીમાંથી બહુકોષી કે બહુકોષીમાંથી એકકોષી. તેવી જ રીતે પ્રાણીઓ અને મનુષ્ય સુષુપ્ત રૂપે, અંડરૂપે કે પ્રકટ સ્વરૂપે પૃથ્વી ઉપરના પ્રલય સમયે ભૂગર્ભમાં સચવાઈ રહે છે. જેને વૈતાઢ્યના બિલ કહેવામાં આવે છે. આ પ્રાણીઓ તથા મનુષ્યો પ્રલયકાળનું તાપમાન સહન કરી શકવા અસમર્થ હોય છે. પછી જ્યારે યોગ્ય વાતાવરણનું સર્જન થાય અને સહ્ય તાપમાન થાય ત્યારે ભૂગર્ભમાંથી બહાર આવી વિકાસનું કાર્ય શરૂ કરી દે છે. એટલે ચોક્કસ પ્રાણીમાંથી ચોક્કસ પ્રાણી જ જન્મી શકે છે, માટે એક પ્રાણીનો વિકાસ થતાં થતાં નવી જાતનાં પ્રાણીઓ પેદા થયાં એવું કહી શકાય નહિ. વળી કેટલાક વિજ્ઞાનીઓ વનસ્પતિ કોષમાંથી પ્રાણી કોષનું સર્જન થયું એમ માને છે, તો કેટલાક વિજ્ઞાનીઓ પ્રાણીકોષમાંથી વનસ્પતિકોષનું સર્જન થયું એમ માને છે અને છેવટે તો આ બધી જ માન્યતાઓ કોઈ ને કોઈ અનુમાન ઉપર જ આધાર રાખે છે અને વિજ્ઞાનીઓ દ્વારા પ્રચલિત કરાયેલ આ અનુમાનો કરતાં વાસ્તવિક્તા કાઈક જુદી જ હોવાની શક્યતા છે. ટૂંકમાં વિજ્ઞાનની જુદી જુદી શાખાઓ, જેવી કે ભૂસ્તરશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, પરમાણુવિજ્ઞાન, ભૂગોળ, ખગોળશાસ્ત્રના ભારતીય વિજ્ઞાનીઓએ, ભારતીય પ્રાચીન દાર્શનિક તેમજ અન્ય ગ્રંથોનો ઊંડો અભ્યાસ કરી, તેના આધારે યોગ્ય સંશોધનો કરવાની અનિવાર્ય જરૂરિયાત છે અને એ પ્રમાણે થશે તો ભારતે વિજ્ઞાનના ક્ષેત્રમાં અમૂલ્ય ભેટ આપી ગણાશે. (નવનીત-સમર્પણ, સપ્ટે.84) 1. 1પૂર્વ = 70,56,000,00,00,000 વર્ષ વર્ષ એટલે કે 70.56 x 102 2. આ લેખ પ્રકાશિત થયા પછી પાંચ વર્ષે આ અનુમાનને સત્ય સિદ્ધ કરતો એક સંદર્ભ "The Pyramid" પુસ્તકમાંથી મળ્યો છે. જે જંબુઢીપલધુસંગ્રહણી અને આધુનિક વિજ્ઞાન” લેખમાં આપેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy