SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કાળચક્ર અને કૉસ્મિક કૅલેન્ડર ગાઉ થઈ ત્યારે ભૂજપરિસર્પની લંબાઈ – ગાઉ અને જ્યારે ભગવાન શ્રી આદિનાથના સમયમાં મનુષ્યોની ઊંચાઈ 500ધનુષ્ય હતી ત્યારે ભુજપરિસર્પની લંબાઈ333 ધનુષ્યની ગણાય. એટલે જ્યારે ડિનોસોરની લંબાઈ 25 ધનુષ્ય હતી ત્યારે મનુષ્યની ઊંચાઈ 37.5 ધનુષ્ય હોઈ શકે અને આટલી મનુષ્યની ઊંચાઈ સોળામા તીર્થંકર શ્રી શાંતિનાથ તથા સત્તરમા તીર્થંકર શ્રી કુંથુનાથના આંતરામાં હતી. એટલે આ બંને રીતે સમયની ગણતરી કરતાં ડિનોસોરનું અસ્તિત્વ લગભગ 47 સાગરોપમ પૂર્વેથી લઈને લગભગ ઓછામાં ઓછા ત્રણ સાગરોપમ પૂર્વે સુધી હોવાનું અનુમાન જરાય અસંભવ કે અશક્ય લગાતું નથી. કૉસ્મિક કૅલેન્ડર પ્રમાણે રાક્ષસી કદના ડિનોસોરની ઉત્પત્તિ 30 ડિસેમ્બરે થયેલી ગણાય છે તો જૈન કાળચક્ર પ્રમાણે પણ લગભગ તેટલો જ સમય આવે છે એટલે કે જે આધુનિક કૉસ્મિક કૅલેન્ડરની 30મી ડિસેમ્બર બરાબ૨ ગણી શકાય કારણ કે કૉસ્મિક કૅલેન્ડરના 365 દિવસ બરાબર જૈનકાળચક્રના ફક્ત 180°(1800-00'-00''-01'' થી360o-00’-00’’-00’’” સુધી) બતાવ્યા છે. વળી આજના વિજ્ઞાનીઓની પુરાતત્ત્વવીય પદાર્થોની વય-મર્યાદા નક્કી કરવાની પદ્ધતિ જૈન કાળચક્રની ગણતરી પ્રમાણે ભૂલભરેલી લાગે છે અને એવું બનવું સ્વાભાવિક જ છે. કારણ કે જૈનગ્રંથ, બૃહત્સંગ્રહણીમાં જણાવ્યા પ્રમાણે ઉત્સર્પિણીમાં જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ પદાર્થોમાં થતાં પરિવર્તનની ઝડપ ઘટે છે. અને અવસર્પિણીમાં જેમાં જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ પદાર્થોનું પરિવર્તન ઝડપી બનતું જાય છે. તેના જૈનશાસ્ત્રોમાં પુરાવારૂપ સિદ્ધાંતો પણ છે. ઉત્સર્પિણીની શરૂઆતમાં મનુષ્યના આયુષ્ય લગભગ 16 થી 20 વર્ષનાં અને દેહમાન લગભગ 1હાથનું હોય છે. એમાં 21,000 વર્ષનો પ્રથમ આરો તથા 21,000 વર્ષનો દ્વિતીય આરો પૂર્ણ થતી વખતે લગભગ ઊંચાઈ 5 થી 6 હાથ અને આયુષ્ય લગભગ 80 વર્ષનાં થતાં હોય છે અને જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ પરિવર્તન ધીમું થતું જાય છે તેનું ઉદાહરણ નીચે પ્રમાણે છે : 153 ઉત્સર્પિણીના પ્રથમ 50 લાખ કરોડ સાગરોપમ પસાર થયા ત્યારે આયુષ્ય 20 વર્ષથી વધીને લગભગ 72 લાખ પૂર્વ જેટલું થાય છે અને દેહમાન 1 હાથથી વધીને લગભગ 450 ધનુષ્ય જેટલું થાય છે. પરંતુ બીજા 50 લાખ કરોડ સાગરોપમ પસાર થાય છે ત્યારે આયુષ્ય વધીને ફક્ત 4 લાખ પૂર્વ જેટલું થાય છે અને દેહમાન 450 ધનુષ્યથી વધીને 500 ધનુષ્ય જેટલું થાય છે. તે જ રીતે ઉત્સર્પિણીના ચોથા આરાના છેડે, જેનું કાળમાન 2 કોડાકોડી સાગરોપમ છે, આયુષ્ય વધીને 1 પલ્યોપમ જેટલું અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy