SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કાળચક્ર અને કૉસ્મિક કૅલેન્ડર ઉપરના બંને કોષ્ટક સરખાવતાં જણાઈ આવશે કે ડાર્વિનના ઉત્ક્રાંતિકાળનું આદિબિંદુ એટલે કે ઉદ્દ્ગમિબંદુ એટલે જ જૈનધર્મના કાળચક્રના અવસર્પિણી વિભાગના આદિબિંદુરૂપ પ્રથમ આરાની શરૂઆત. પૃથ્વીના પોપડાના નિર્માણકાળની શરૂઆત એટલે દ્વિતીય આરાની શરૂઆત. જીવનની શરૂઆતનો કાળ અને બૅક્ટીરિઆની ઉત્પત્તિ એટલે તૃતીય આરાની શરૂઆત અને વાતાવરણમાં ઑક્સિજનનું નિર્માણ થવું તે લગભગ 1 કોડાકોડી સાગરોપમ પ્રમાણના ચોથા આરાની શરૂઆત. આધુનિક વિજ્ઞાન ઉ૫૨ કહેલા સમય સુધી પૃથ્વી ઉપર જીવનના અસ્તિત્વને માનતું નથી કારણ કે પૃથ્વીના ખોદકામ દરમિયાન જે અશ્મિઓ તથા અશ્મિઓના થર નીકળે છે, તેમાં સૌથી નીચેના થરને તેઓ ઉપર કહેલા સમય પછીના જ માને છે. તે પૂર્વેના કાળના અશ્મિઓ મળતા નથી. તેનાં કારણો બૃહત્સંગ્રહણી, ક્ષેત્રસમાસ, પ્રવચનસારોદ્ધાર વગેરે જૈનગ્રંથોના આધારે નીચે પ્રમાણે આપી શકાય. 151 આ પૃથ્વી ઉપર અવસર્પિણીના પ્રથમ-દ્વિતીય-તૃતીય આરા દરમિયાન માનવજીવન તથા પશુજીવન સંપૂર્ણ રીતે એકબીજાથી સ્વતંત્ર હતું. મનુષ્યોમાં પુરુષ-સ્ત્રી તથા પશુઓમાં નર-માદા બંને એકીસાથે જન્મતાં, યુવાન થતાં સાથે જ ભોગ ભોગવતાં અને તેઓ યુગલને જ જન્મ આપતાં. થોડાક જ દિવસ તેનું પાલનપોષણ કરી તેને સ્વતંત્ર કરતાં અને સાથે જ મૃત્યુ પામતાં. આ યુગલિક મનુષ્યો તથા પશુઓ અલ્પ કષાયવાળા તથા અલ્પ કામવાસનાવાળા હતા. એટલે કે ક્રોધ, માન, માયા, લોભ, મોહર્થી તેઓ લગભગ રહિત હતા. એટલે તેઓની વચ્ચે ક્યારેય લડાઈ, ઝઘડા થતાં નહોતાં અને અકાળ મૃત્યુ તો ક્યારેય થતું નહિ. મનુષ્યો અને પશુઓની જરૂરિયાત ખૂબ અલ્પ રહેતી અને તે જરૂરિયાત તે વખતનાં કલ્પવૃક્ષો પૂરી કરી આપતાં. આ બધાં કારણોસર તે વખતે અસિ એટલે કે તલવાર, મિસ એટલે શાહી અથવા લેખનકળા અને કૃષિ એટલે ખેતીનો વ્યવહાર શરૂ થયો નહોતો. તે કાળમાં વનસ્પતિને કોઈ ઓળખતુંય નહોતું એટલે વનસ્પતિનો ઇતિહાસ, પ્રકાર, ઉપયોગ કે એવું કોઈ વિજ્ઞાન અસ્તિત્વમાં નહોતું એટલે એમ ન માની શકાય કે ત્યારે વનસ્પતિ કે પ્રાણીઓનો કોઈ વિકાસ થયો નહોતો. વળી આ અવસર્પિણી કાળમાં કુદરતી આપત્તિઓ પણ તે પછી જ શરૂ થઈ હોય તેથી અશ્મિભૂત અવશેષો પણ તે પછી જ નિર્માણ થયા હોય. ટૂંકમાં, આ પ્રથમ ત્રણ આરા દરમિયાન સંપૂર્ણ કુદરતી જીવન જીવાતું હતું. કૉસ્મિક કૅલેન્ડરમાં ફક્ત એક જ વિભાગ છે, જેને ઉત્ક્રાંતિકાળ કહેવામાં આવે છે. માનવસમાજની બૌદ્ધિક, ભૌતિક, વૈજ્ઞાનિક પરિસ્થિતિને ખ્યાલમાં રાખી, તેનું ઉત્ક્રાંતિ નામ આપવામાં આવ્યું છે. જ્યારે જૈનકાળચક્રમાં મુખ્ય બે વિભાગ છે ઃ ઉત્સર્પિણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy