SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ જંબુદ્વીપ(લઘુ)સંગ્રહણી અને આધુનિક વિજ્ઞાન 120 આકાશમાં ઊંચે ઊડતા વિમાન વગેરેની પણ હોય છે. આ હકીક્તો સિદ્ધ કરે છે કે પૃથ્વી ગોળ નથી. 2. અમેરિકામાં - પેટેરાશની દીવાદાંડી 40 માઇલ દૂરથી દેખાય છે. તેનું શું કારણ? જો પૃથ્વી ગોળ હોય તો 40 માઇલમાં પૃથ્વીનો વળાંક 9000 ફૂટ આવે, જ્યારે દીવાદાંડી ફક્ત 300 ફૂટ જ ઊંચી છે. 3. સુએઝ નહેર-પૃથ્વી ગોળ નથી એ સિદ્ધાંત ઉપર બંધાયેલી છે. અને તેને બાંધનાર ફેન્ચ ઇજનેરો હતા, આનો ઉલ્લેખ બ્રિટિશ પાર્લમેન્ટના ધારામાં મળે છે. 4. કેપ્ટન જે. રાસે ઈ.સ. 1838માં કેપ્ટન ફેશિયર સાથે દક્ષિણ ધ્રુવ તરફ સફર કરી ત્યારે સમુદ્રમાં જ્યાં સુધી શક્ય હતું ત્યાં સુધી વહાણમાં ગયા, ત્યારબાદ 450 ફૂટથી 1000 ફૂટ ઊંચી પાકી બરફની દીવાલ મળી આવી, તેના ઉપર તેઓ સતત ચાર વર્ષ સુધી ચાલ્યા, લગભગ 40,000 માઈલની મુસાફરી થઈ, પરંતુ તે બરફની શેતરંજનો અંત ન આવ્યો. જો પૃથ્વી ગોળ હોત તો જે અક્ષાંશ ઉપર આ બરફની શેતરંજ મળી, ત્યાંની પરિધિ ફક્ત 10,700 માઈલની જ છે. તો તેઓ ત્યાં ને ત્યાં એક જ સ્થાન ઉપર ચાર વાર આવી જવા જોઈએ. તેમ થવાને બદલે તેઓને પાછા વળવું પડ્યું અને પાછા આવતાં અઢી વર્ષ થઈ ગયાં. આ હકીક્ત પણ સિદ્ધ કરે છે પૃથ્વી ગોળ નથી. 5. બે રેખાંશ વચ્ચેનું અંતર, અક્ષાંશ બદલાય તેમ બદલાય છે. વિષુવવૃત્તથી જેમ જેમ ઉત્તરમાં કે દક્ષિણમાં આગળ જઈએ તેમ તેમ બે રેખાંશ વચ્ચેનું અંતર ઘટતું જાય છે. ઉત્તરના 23 અક્ષાંશ ઉપર બે રેખાંશ વચ્ચે 40 માઇલનું અંતર છે. જો પૃથ્વી ખરેખર દડા જેવી ગોળ હોય તો દક્ષિણના 235 અક્ષાંશ ઉપર પણ બે રેખાંશ વચ્ચે 40 માઇલનું અંતર હોવું જોઈએ તેને બદલે 75 માઇલનું અંતર જણાયું છે અને આગળ નીચે દક્ષિણ તરફ જતાં અંતર ઘટવાને બદલે વધે છે અને કેટલીક જગ્યાએ 103 માઇલનું અંતર મપાયું છે. જો આ પ્રમાણે હોય તો પૃથ્વી દડા જેવી ગોળ છે એવો સિદ્ધાંત ક્યાં રહ્યો? 6. અત્યારની વૈજ્ઞાનિક માન્યતા પ્રમાણે, પૃથ્વી પોતાની ધરી રાખીને સૂર્યની પ્રદક્ષિણા કરે છે એટલે તેનો ઉત્તર ધ્રુવ હંમેશાં-ધ્રુવના તારાની સન્મુખ જ રહે છે, તેથી ઉત્તર ધ્રુવ ઉપર રહેલા મનુષ્યના મસ્તક ઉપર આકાશની મધ્યમાં ધ્રુવનો તારો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy