SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ જંબુદ્વીપ(લઘુ) સંગ્રહણી અને આધુનિક વિજ્ઞાન "Science is a series of approximations to the truth; at no stage do we claim to have reached finality; any theory is liable to revision in the light of new facts... This is both the joy and inspiration of science that there appears to be no end to new knowledge with its interest. Each advance yields a more farreaching and interesting picture of the physical world, while at the same time opening up fresh views in the shape of new problems awaiting solutions."1 (વિજ્ઞાન - એ સત્ય તરફ લઈ જનાર અનુમાનોની શ્રેણિ છે, પરંપરા છે અને વિજ્ઞાને આપેલ નિર્ણયો અને રહસ્ય અંતિમ સત્ય અથવા નિરપેક્ષ સત્ય છે એવો દાવો પણ આપણે ક્યારેય કરી શકીએ તેમ નથી. વિજ્ઞાનનો કોઈપણ સિદ્ધાંત નવાં સંશોધનોના અનુસંધાનમાં, જરૂરી ફેરફાર માગી લે છે અથવા નવું કોઈ પણ સંશોધન વિજ્ઞાનના પૂર્વવર્તી સિદ્ધાંતને અસત્ય ઠેરવી શકે છે... વિજ્ઞાનનો આનંદ અને એની પ્રેરણાદાયક હકીકત એ છે કે વિજ્ઞાનમાં નવા જ્ઞાનનો કદાપિ અંત જણાતો નથી. દરેક સંશોધન આ ભૌતિક જગતનું સુંદર અને વધુ વિશ્વાસપાત્ર સ્વરૂપ દર્શાવે છે અને તે સાથે જ ઉકેલની રાહ જોતા નવા પ્રશ્નોના સ્વરૂપમાં, નવા દૃષ્ટિકોણો-ખ્યાલોનો માર્ગ ખુલ્લો કરી આપે છે.) મનુષ્યની જિજ્ઞાસાવૃત્તિ અદમ્ય છે અને એ જિજ્ઞાસાવૃત્તિએ મનુષ્યને, નવી નવી શોધ કરવાની પ્રેરણા આપી છે અને તે રીતે વિજ્ઞાનનો પ્રારંભ થયો. આ જિજ્ઞાસાવૃત્તિએ અનાદિકાળથી મનુષ્યના ચિત્તમાં વસવાટ કરેલ છે. ક્યારેક એ તીવ્ર બને છે તો ક્યારેક સાવ મંદ પડી જાય છે પરંતુ જ્યારે એ તીવ્ર બને છે ત્યારે, મનુષ્ય જગતના સ્વયંસંચાલિત તંત્રનું રહસ્ય પામવા મથે છે. આ રહસ્ય પ્રાપ્ત કરવા માટે મુખ્યત્વે બે માર્ગ અપનાવાય છે. એક માર્ગ અધ્યાત્મનો છે અને બીજો માર્ગ ભૌતિકવિજ્ઞાનનો છે. ભારતીય સંસ્કૃતિના પાયામાં જ આધ્યાત્મિક્તા રહેલી હોવાથી ભારતની કોઈપણ પ્રાચીન પરંપરામાં બ્રહ્માંડના રહસ્યને સમજવા, જાણવા માટે પ્રાચીન મહર્ષિઓએ અધ્યાત્મનો જ માર્ગ અપનાવેલ છે (અને) પ્રાચીન કાળમાં બ્રહ્માંડનાં રહસ્યો જાણવા ભારતીય પ્રજાજનો પણ ખૂબ જ ઉત્સુક હતા, અને આ વિષયમાં બીજી કોઈપણ સંસ્કૃતિ કરતાં ઊણા ઊતરે તેવા ન હતા. આ અંગે ફ્રેન્ચ સંશોધિકા શ્રીમતી કૈલટ કૅપ્યાં (Collete Caillat) 4 ore siaulio (The Jain Cosmology) 41441 42715Hi કહે છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy