SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ 113 જૈન દર્શન અને આધુનિક ભૌતિકશાસ્ત્રમાં.. અર્થાત્ 2,97,000 કિમી./સે. પણ હોઈ શકે છે.58 આમ છતાં આઇન્સ્ટાઇનની કલ્પના શક્તિ ગજબની દાદ માગી લે તેવી હતી, એનો સ્વીકાર કર્યા વિના ચાલે તેમ નથી. પરંતુ ભૌતિકશાસ્ત્રને લાગે વળગે છે ત્યાં સુધી એણે આપેલા વિશિષ્ટ સાપેક્ષતા સિદ્ધાંતના આધારે, ગતિમાન પદાર્થના દ્રવ્યમાન (m) લંબાઈ, સમય તથા સદિશો(vectors)ના સરવાળા અંગેનાં સમીકરણો પણ અમુક હદ/મર્યાદા સુધી જ સાચાં છે. એ મર્યાદાની ઉપર, એ સમીકરણો અસત્ય સિદ્ધ થાય છે અથવા બિન-ઉપયોગી પુરવાર થાય છે. એ સમીકરણો નીચે પ્રમાણે છે. mo (1) ": 1-12 (2) AT, -4 - */ 2 . V. V+V,_ (3) L, - -Ji-*/ 2 (4) 1-Fi Ye આઈન્સ્ટાઈના વિશિષ્ટ સાપેક્ષતા સિદ્ધાંતની પૂર્વધારણાઓ (postulates) આ પ્રમાણે છે. (1) પ્રકાશના વેગ ઉપર પ્રકાશ ઉત્પન્ન કરનાર પદાર્થના વેગની કોઈ અસર થતી નથી. એ અર્થમાં પ્રકાશનો વેગ અચળ (constant) છે. (2) વિશ્વનો કોઈપણ પદાર્થ પ્રકાશ કરતાં વધુ વેગ પ્રાપ્ત કરી શકતો નથી.0 આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષતા સિદ્ધાંત, સામાન્ય સાપેક્ષતા સિદ્ધાંત તથા અન્ય સંશોધન ઉપર્યુક્ત બે પૂર્વધારણાઓના આધારે જ થયેલ છે. ઉપરનાં સૂત્રો પ્રકાશ કરતાં વધુ વેગવાળા પદાર્થોને લાગુ પાડી શકાતાં નથી કારણ કે c કરતાં વધુ (v>c) હોવાના કારણે ટ ની કિંમત કરતાં વધી જાય છે. અને તેથી 1- ની કિંમત ઋણ (-ve) આવે છે, તેથી ઉપરના સૂત્રોમાં આવેલ 1-2, 2 ની કિંમત પ્રાપ્ત થઈ શકતી નથી અથવા તે કાલ્પનિક જ છે. જ્યારે ચોથા સૂત્ર પ્રમાણે ૯ કરતાં છે, અને જે વધુ હોય તો પણ તે બંનેનો સરવાળો હંમેશા કરતાં ઓછો જ આવે છે. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ સંબંધી સૂત્ર છે : F-ni 5 2 જ્યાં ; આકર્ષણબળ છે. m , અને m અનુક્રમે પદાર્થ નં-1 અને નં -2નાં દ્રવ્યમાન (mass) છે અને બંને પદાર્થો વચ્ચેનું અંતર છે. વિશ્વમાં કોઈપણ બે પદાર્થો વચ્ચેનું આકર્ષણબળ, તે બંને પદાર્થોના દ્રવ્યમાનના ગુણાકારના સમ પ્રમાણમાં હોય છે તથા બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે માની લો કે તે બંને પદાર્થો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy