SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ 106 જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો એ સૂત્રોને સારી રીતે સમજી લેવામાં આવે અને તેનો યથાર્થ ઉપયોગ કરતાં ફાવી જાય તો કોઈપણ પ્રકારના ગણિત માટે તેનો સરળતાથી પ્રયોગ થઈ શકે છે. પ્રાચીન જૈન ગ્રંથોમાં પણ વૈદિક ગણિતમાં બતાવેલ સૂત્રોનાં સંદર્ભો પ્રાપ્ત થાય છે. શ્રીનંદિસૂત્ર નામના જૈન આગમની ટીકામાં આ સૂત્રો દ્વારા થતાં કાર્યને પરિકર્મ કહેવામાં આવ્યાં છે, તે ગ્રંથ સંદર્ભ નીચે પ્રમાણે છે. "सूत्रादि पूर्वगतानुयोगसूत्रार्थग्रहणयोग्यतासम्पादनसमर्थानि परिकर्माणि यथा गणितशास्त्रे - सङ्कलनादीन्याद्यानि षोडश परिकर्माणि, शेषगणित सूत्रार्थ ग्रहणे योग्यतासम्पादनसमर्थानि, तथाहि यथा गणितशास्त्रे गणितशास्त्रगताद्यषोडश परिकर्मगृहीतसूत्रार्थः सन् शेषगणितशास्त्रग्रहणयोग्यो भवति, नान्यथा, तथा गृहीतविवक्षितपरिकर्मसूत्रार्थः सन् शेष-सूत्रादिरूप द्दष्टिवादश्रुतग्रहणयोग्यो भवति, नेतरथा, तथा चोक्तं चूर्णी 'परिकर्मेति योग्यताकरण, जहा गणियस्स सोलस परिकम्मा, तग्गहियसुत्तत्थो सेसगणियस्स जोगो भवइ एवं गहियपरिकम्मसुत्तत्थो सेस सुत्ताइ दिट्ठिवायस्स जोगो વરૂત્તિ ' (નંતિસૂત્ર ટીજા: મનગિરિતા, પ્રજા. બાળમોવસમિતિ:, સૂરત, પૃ. 238) ઉપર્યુક્ત નંદિસૂત્રની ટીકાની પૂર્વકાલીન નંદિસૂત્ર ચૂર્ણિમાં (પ્રાકૃત ભાષામાં) પણ એ જ ઉલ્લેખો આવે છે. એનો અર્થ એટલો જ કે પ્રાચીનકાળના જૈન આચાર્યો પણ ગણિતશાસ્ત્ર સંબંધી વિવિધ સાહિત્યના અભ્યાસુ હતા. બીજું એ પણ અહીં નોંધવું ઉચિત જણાય છે કે ગણિતશાસ્ત્ર સંબંધી આ સોળ સૂત્રો વેદોમાં પ્રાપ્ત થતાં હોવા માત્રથી જ એ વૈદિક ગણિતશાસ્ત્રનાં બની જતાં નથી, પણ વેદો કરતાં પણ પ્રાચીન એવા શુદ્ધ ગણિતશાસ્ત્રના આ સિદ્ધાંતોનો વેદોમાં પણ પ્રચુરમાત્રામાં સારી રીતે ઉપયોગ થયેલ છે એમ સ્વીકા૨ ક૨વો જોઈએ. મતલબ કે પાશ્ચાત્ય દેશોની સંસ્કૃતિમાં ગણિતનો પાયો નંખાયો એ પૂર્વે ભારતમાં આ પ્રકા૨ના ગણિતનો સંપૂર્ણ વિકાસ થઈ ચૂક્યો હતો. આ પરિકર્મ સંબંધી સૂત્રોનો કેવળ અંકગણિત અર્થાત્ ગુણાકાર-ભાગાકાર કે સરવાળા બાદબાકી પૂરતો મર્યાદિત ઉપયોગ થતો નહોતો પણ આ જ સૂત્રો બીજગણિત, ભૂમિતિ, ત્રિકોણમિતિ, કલનશાસ્ત્ર (calculus) વગેરે માટે તેટલાં જ ઉપયોગી હતાં. આ અંગે ડૉ. પ્ર.ચુ. વૈદ્ય જણાવે છે કે આ તો ફક્ત વિધાન (statement) છે, તેની સાબિતીનો કોઈ ઉલ્લેખ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy