SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ 8 ધ્વનિનો અલૌકિક ગુણધર્મ વર્ણ/રંગ (જૈનદર્શન અને વિજ્ઞાનની દૃષ્ટિએ શ્રી દત્તના અનુભવો) ફીર્બસ ગુજરાતી સભાના ‘ત્રૈમાસિક’ના ઑક્ટો. - ડિસે. 1992ના અંકમાં શ્રીમતી ઊર્મિબહેન દેસાઈનો ધ્વનિનો અલૌકિક ગુણધર્મ વર્ણ-રંગ' તથા તે સંબંધી શ્રી અશોકકુમાર દત્તનો ‘વર્ણમાળા અને મંત્રોચ્ચારણનું રહસ્ય' લેખ વાંચ્યા. વાંચી ખૂબ જ આનંદ તથા આશ્ચર્ય થયું. અલબત્ત, સૈદ્ધાંતિક દૃષ્ટિએ, જૈનદર્શન, ધ્વનિને પુદ્ગલ(matter)ના રૂપાંતર સ્વરૂપ માને છે. તેથી ધ્વનિને વર્ણ/રંગ હોવાની શક્યતાને કોઈપણ સંજોગોમાં નકારી શકાય તેમ નથી, છતાં સામાન્ય મનુષ્ય માટે ધ્વનિનો વર્ણ ચક્ષુગ્રાહ્ય તો નથી જ, તેથી શ્રી દત્તનો લેખ, તેમના અનુભવો, જેમ જેમ વાંચતો ગયો, તેમ તેમ મારી જૈનદર્શન ઉપરની શ્રદ્ધા વધુ ને વધુ બળવાન બનતી ગઈ. મને લાગે છે કે પ્રકાશની બાબતમાં અને પારજાંબલી કિરણો(ultraviolet rays)ની બાબતમાં જેમ ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટ (photo-electric effect)ની ઘટના સમજાવવા પ્રકાશના કણસ્પરૂપનો સ્વીકાર કરવો પડે છે અને પ્રકાશના વ્યતિકરણની ઘટના સમજાવવા માટે પ્રકાશને તરંગસ્વરૂપ માનવો પડે છે તે જ રીતે ધ્વનિ, જેને આધુનિક વિજ્ઞાન સંપૂર્ણ રીતે તરંગસ્વરૂપે જ સ્વીકારે છે, તે વસ્તુતઃ કણસ્વરૂપે જ છે, એવું જૈનદર્શન નિરૂપે છે અને શ્રી અશોકકુમાર દત્તના અનુભવ પણ ધ્વનિને કણસ્વરૂપે સિદ્ધ કરી આપે છે એટલે વખત જતાં પ્રકાશની માફક ધ્વનિને પણ દ્વિસ્વભાવવાળો (dual nature) માનવો પડશે, અથવા તો પ્રકાશની બાબતમાં જેમ ક્વૉન્ટમ મિકેનિક્સની શાખાનો વિકાસ થયો છે, તેમ ધ્વનિના વિષયમાં પણ નવા પ્રકારનો ક્વૉન્ટમ મિકેનિક્સ આવશે કારણ કે હમણાં જ થોડા વખત પહેલાં ‘અભિયાન’માં ઘોંઘાટના પ્રદૂષણથી બચવા માટે વિજ્ઞાનીઓએ શોધેલ એક ઇલેક્ટ્રૉનિક સાધનની માહિતી આપવામાં આવી છે અને તેની કાર્યપદ્ધતિ પણ સમજાવવામાં આવી છે. તે સાધન વડે ઘોંઘાટની સામે પ્રતિઘોંઘાટ ઉત્પન્ન કરવામાં આવે છે અને તે ઘોંઘાટ, સામા ઘોંઘાટની સામે જઈ, અથડાઈ તેને નિર્મૂળ કરે છે. તેમાં વિનાશક વ્યતિકરણ(destructive interference)ના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે માટે ધ્વનિને તરંગ સ્વરૂપે સ્વીકારવો પડે છે. આમ છતાં ધ્વનિના પ્રસરણની સમજ આપતી વખતે, વિજ્ઞાનીઓ, હવા સ્વરૂપ માધ્યમમાં રહેલ કણોનો સહારો લે છે અને નીચે બતાવેલી રીતે ધ્વનિના પ્રસરણને સમજાવે છે. ધ્વનિ તરંગ પસાર થતો હોય ત્યારે હવાના કણો, અમુક વિભાગમાં એકબીજાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy