SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ જ્ઞાનબિજૂનું પરિશીલન પર બુદ્ધ દ્વારા એટલો બધો ભાર અપાવાના પરિણામે આગમના સ્વતન્નપ્રામાણ્ય વિરુદ્ધ એક બીજી પણ વિચારધારા પ્રફુટિત થઈ. આગમને સ્વતંત્ર અને અલગ પ્રમાણ માનનારી વિચારધારા પ્રાચીનતમ હતી જે મીમાંસા, ન્યાય અને સાંખ્યયોગ દર્શનોમાં આજ પણ અક્ષુણ છે, આગમને અતિરિક્ત પ્રમાણન માનવાની પ્રેરણા કરનારી બીજી વિચારધારા જો કે અપેક્ષાકૃત પછીની છે, તેમ છતાં તેનો સ્વીકાર કેવળ બૌદ્ધ સંપ્રદાય સુધી જ સીમિત ન રહ્યો. તેની અસર આગળ જઈને વૈરોષિક દર્શનના વ્યાખ્યાકારો ઉપર પણ પડી જેના પરિણામે તેમણે આગમપ્રમાણ અર્થાત્ શ્રુતિપ્રમાણનો સમાવેશ બૌદ્ધોની જેમ અનુમાનમાં જ કરી દીધો 7. આમ આગમને અતિરિક્ત પ્રમાણન માનવાના વિષયમાં, બૌદ્ધ અને વૈશેષિક બને દર્શનો મૂળમાં પરસ્પર વિરુદ્ધ હોવા છતાં પણ અવિરુદ્ધ સહોદર બની ગયા. 'જૈન પરંપરાની જ્ઞાનમીમાંસામાં ઉક્ત બન્ને વિચારધારાઓ મોજૂદ છે. મતિ અને શ્રતની ભિન્નતા માનનારા તથા તેની ભેદરેખા સ્થિર કરનારા ઉપર વર્ણવાયેલ આગમિક તથા આગમાનુસારી તાર્કિક આ બન્ને પ્રયત્નોના મૂળમાં તે જ સંસ્કારો છે જે આગમને સ્વતંત્ર અને અતિરિક્ત પ્રમાણ માનનારી પ્રાચીનતમ વિચારધારાના પોષક રહ્યા છે. શ્રતને મતિથી અલગ ન માનીને તેને તેનો એક પ્રકાર માત્ર સ્થાપિત કરનારો દિવાકરશ્રીનો ત્રીજો પ્રયત્ન આગમને અતિરિક્ત પ્રમાણ ન માનનારી બીજી વિચારધારાની અસરથી અસ્પષ્ટ નથી. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે પોતાની સહોદર અન્ય દાર્શનિક પરંપરાઓની વચ્ચે જ જીવનધારણ કરનારી તથાફળવાફૂલવાવાળી જેન પરંપરાએ કેવી રીતે તે બન્ને વિચારધારાઓનો પોતાનામાં કાલક્રમે સમાવેશ કરી દીધો. (2) ચુતનિશ્ચિત અને અશ્રુતનિશ્ચિત મતિઃ [16] મતિજ્ઞાનની ચર્ચાના પ્રસંગે મુતનિશ્રિત અને અમૃતનિશ્ચિત ભેદનો પ્રશ્ન પણ વિચારણીય છે. મૃતનિશ્ચિત મતિજ્ઞાનતે છે જેમાં શ્રુતજ્ઞાનજન્યવાસનાનો ઉબોધ થવાથી વિશેષતા આવે છે. અમૃતનિશ્રિત મતિજ્ઞાન તો શ્રુતજ્ઞાનજન્ય વાસનાના પ્રબોધ વિના જ ઉત્પન્ન થાય છે. અર્થાત્ જે વિષયનું મૃતનિશ્ચિત મતિજ્ઞાન થાય છે તે વિષય પહેલાં ક્યારેક ઉપલબ્ધ અવય થયો હોય છે જ્યારે અમૃતનિશ્ચિત મતિજ્ઞાનનો વિષય પહેલાં અનુપલબ્ધ હોય છે. હવે પ્રશ્ન એ છે કે “જ્ઞાનબિન્દુમાં ઉપાધ્યાયજીએ મતિજ્ઞાનના જે મૃતનિશ્રિત અને 17. જુઓ પ્રશસ્તપાદભાષ્ય, પૃ. 576, વ્યોમવતી, પૃ. 577; કન્ડલી પૃ. 213. 18. જો કે દિવાકરશ્રીએ પોતાની બત્રીસી(નિશ્ચય. 19)માં મતિ અને શ્રુતનો અભેદ સ્થાપિત કર્યો છે તેમ છતાં તેમણે ચિરપ્રચલિત મતિયુતના ભેદની સર્વથા અવગણના કરી નથી. તેમણે ન્યાયાવતારમાં આગમપ્રમાણને સ્વતન્નરૂપે નિર્દિષ્ટ કરેલ છે. એવું જણાય છે કે આસ્થાને દિવાકરશ્રીએ પ્રાચીન પરંપરાનું અનુસરણ ક્યું અને ઉક્ત બત્રીસીમાં પોતાનો સ્વતન્ન મત વ્યક્ત ર્યો. આ રીતે દિવાકરશ્રીના ગ્રન્થોમાં આગમપ્રમાણને સ્વતંત્ર અતિરિક્ત માનવા અને ન માનવાવાળી બને દર્શનાન્તરીય વિચારધારાઓ જોવામાં આવે છે જેમનો સ્વીકાર જ્ઞાનબિન્દુમાં ઉપાધ્યાયજીએ પણ કર્યો છે. 19. જુઓ જ્ઞાનબિન્દુ ટિપ્પણ પૃ. 70. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy