SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ-પરમાન્યતાઓ અને ઐતિહાસિક દષ્ટિ આધારે, ઐતિહાસિક તથ્યોની બિલકુલ તપાસર્યા વિના પણ તેમની ભક્તિ-ઉપાસના તથા તેમની જીવનઉત્ક્રાંતિના અનુસરણ દ્વારા પોતાનો આધ્યાત્મિક વિકાસ સાધી શકે છે તેમ છતાં જ્યારે બીજાઓની આગળ પોતાની માન્યતાઓ રજૂ કરવાનો તથા પોતાના વિચારોને સાચા સાબિત કરવાનો પ્રશ્ન ખડો થાય છે ત્યારે કેવળ એટલું જ કહેવાથી કામ ચાલતું નથી કે આપ મારા કથનને માની લો, મારા ઉપર વિશ્વાસ રાખો'. આપણે બીજાઓની આગળ આપણી વાતોને યા માન્યતાઓને પ્રતીતિકર થાય એ રીતે, વિશ્વાસ બેસે એ રીતે, ગળે ઊતરે એ રીતે રજૂ કરવી હોય તો એની સીધીસાદી અને સર્વમાન્યરીત એ જ છે કે આપણે ઐતિહાસિક દષ્ટિ દ્વારા તેમની આગળ આપણી વાતોની સચ્ચાઈ સાબિત કરીએ. કોઈ પણ ભિન્ન અભિપ્રાય ધરાવતી વ્યક્તિ ઐતિહાસિક તથ્ય આગળ ઝૂકી જ જાય છે. આ જ ન્યાય ખુદ આપણને પોતાને પણ લાગુ પડે છે. બીજાઓના વિશે આપણામાં ગમે તેટલો મોટો પૂર્વગ્રહ કેમ ન હોય પરંતુ જો આપણે ઐતિહાસિક દષ્ટિએ આપણામાં રહેલા પૂર્વગ્રહની તપાસ કરીશું તો સત્યપથ ઉપર આપણે સરળતાથી આવી શકીશું. અજ્ઞાન, ભ્રમ અને વહેમ જે ભિન્ન ભિન્ન જાતિઓ અને સંપ્રદાયો વચ્ચે લાંબીપહોળી ખાઈ પેદા કરે છે અર્થાત્ હૃદયોને એકબીજાથી અળગા કરે છે તેમનો સરળતાથી નાશ કરીને હૃદયો વચ્ચેની અલગતાની ખાઈને પૂરવાનું એક માત્ર સાધન ઐતિહાસિક દષ્ટિનો ઉપયોગ છે. આ કારણે જ અહીં આપણે નિર્ગસ્થ સંપ્રદાય સાથે સંબંધ ધરાવતી કેટલીક વાતોની ઐતિહાસિક દષ્ટિએ તપાસ કરીને તેમનું ઐતિહાસિક મૂલ્ય પ્રગટ કરવા ઇચ્છીએ છીએ. જે ગણ્યાગાંઠ્યા મુદ્દાઓ અને પ્રશ્નો અંગે જૈન સંપ્રદાયને પહેલાં ક્યારેય સંદેહ હતો નહિ તે પ્રશ્નો અંગે વિદેશી વિદ્વાનોના મતે કેવળબીજાઓના મનમાં જ નહિ પરંતુ પરંપરાગત ન સંસ્કારવાળાઓના મનમાં પણ થોડોક સંદેહ પેદા કરી દીધો હતો. અહીં આપણે એ વિચારવું જોઈએ કે આખરે આવું થાય છે કેમ? વિદેશી વિદ્વાન એક છેડે હતા તો આપણે બીજા છેડે. વિદેશી વિદ્વાનોની સંશોધક વૃત્તિ અને સત્ય દષ્ટિએ નવયુગ ઉપર એટલો બધો પ્રભાવ જમાવી દીધો હતો કે કોઈ તેમના મતની વિરુદ્ધબળપૂર્વક અને દલીલો સાથે પોતાનો મત પ્રતિપાદિત કરી શકતું નહિ. આપણી પાસે આપણી માન્યતાનાં પોષક અકાદ્ય ઐતિહાસિક સાધનો હોવા છતાં પણ આપણે તે સાધનોનો આપણા પોતાના પક્ષમાં યથાર્થપણે પૂરો ઉપયોગ કરવાનું જાણતા ન હતા. તેથી આપણી સમક્ષ શરૂઆતમાં બે જ રસ્તા હતા- કાં તો આપણે વિદેશી વિદ્વાનોના મતને દલીલ ર્યા વિના જૂઠો કહીને અમાન્ય કરીએ કાં તો આપણા પોતાના પક્ષ તરફી દલીલોના અભાવના કારણે ઐતિહાસિકોની વૈજ્ઞાનિક દષ્ટિના પ્રભાવમાં આવીને આપણે આપણી પોતાની સત્ય વાતને પણ અણસમજના લીધે છોડી દઈ વિદેશી વિદ્વાનોની શોધને માની લઈએ, સ્વીકારી લઈએ. આપણી પાસે પરંપરાના સંસ્કારો સિવાય પોતપોતાની માન્યતાનાં સમર્થક અનેક ઐતિહાસિક પ્રમાણો મોજૂદ હતાં. આપણે કેવળ તે પ્રમાણોનો ઉપયોગ કરવાનું જાણતા ન હતા. બીજી બાજુ, વિદેશી વિદ્વાન ઐતિહાસિક સાધનોનો ઉપયોગ કરવો તો જાણતા હતા પરંતુ શરૂઆતમાં તેમની પાસે ઐતિહાસિક સાધનો પૂરાં ન હતાં. તેથી તેઓ અધૂરાં સાધનોના આધારે કોઈ વાત ઉપર એક નિર્ણય પ્રગટ કરતા હતા. બીજી તરફ, આપણે સાધનો હોવા છતાં પણ તેમનો ઉપયોગ કર્યા વિના જ તે વાત ઉપર તદ્દન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy