SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રન્ય ૫૯ શ્વેતામ્બર પરંપરાનો પણ એક ગ્રન્થ હોવો જોઈએ. આ ઇચ્છાથી પ્રેરિત થઈને નામકરણ આદિમાં મોક્ષાકર આદિનું અનુસરણ કરવા છતાં પણ તેમણે વિષયની પસંદગીમાં તથા તેના વિભાજનમાં જૈનાચાર્ય અકલંકનું જ અનુસરણ કર્યું. ઉપાધ્યાયજીના પૂર્વવર્તી શ્વેતામ્બર-દિગમ્બર અનેક આચાર્યોના તર્કવિષયક સૂત્ર અને પ્રકરણ ગ્રન્યો છે પરંતુ અકલંકના લધીયસ્રય ગ્રન્થ સિવાય બીજો કોઈ એવો તર્કવિષયક ગ્રન્ય નથી જેમાં પ્રમાણ, નય અને નિક્ષેપ ત્રણેનું તાર્કિક શૈલીમાં એક સાથે નિરૂપણ હોય. તેથી જ ઉપાધ્યાયજીની વિષયપસંદગીનો આધાર લઘીયસ્રય જ છે એમાં કોઈ સંદેહ રહેતો નથી. તે ઉપરાંત ઉપાધ્યાયજીની પ્રસ્તુત કૃતિમાં લઘીયત્રયનાં અનેક વાક્યો જેમના તેમ આવે છે જે તેના આધારત્વના અનુમાનને વધુ પુષ્ટ કરે છે. બાહ્ય સ્વરૂપનો થોડોક ઈતિહાસ જાણ્યા પછી આંતરિક સ્વરૂપનું પણ એતિહાસિક વર્ણન આવશ્યક છે. જનતકભાષાના વિષયનિરૂપણના મુખ્ય આધારભૂત બે ગ્રન્ય છે - સટીક વિશેષાવશ્યકભાષ્ય અને સટીક પ્રમાણનયતત્તાલોક. તેવી જ રીતે તેના નિરૂપણમાં મુખ્યપણે આધારભૂત બેચાયગ્રન્યો પણ છે- કુસુમાંજલિ અને ચિંતામણિ. તે સિવાય વિષયનિરૂપણમાં દિગમ્બરીયન્યાયદીપિકાનો પણ થોડોક સાક્ષાત્ ઉપયોગ અવશ્ય થયો છે. જેનતકભાષાના નયનિરૂપણ આદિની સાથે લધીયસ્રય અને તત્ત્વાર્થસ્લોવાર્તિક આદિનું શબ્દશઃ સાદરય અધિક હોવાથી એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે તેમાં લવીયસ્રય અને તત્ત્વાર્થશ્લોકવાર્તિકનો સાક્ષાત્ ઉપયોગ કેમ નથી માનતા? પરંતુ એનો જવાબ એ છે કે ઉપાધ્યાયજીએ જૈન તર્કભાષાના વિષયનિરૂપણમાં વસ્તુતઃ સટીક પ્રમાણનયતત્ત્વાલોનો તાર્કિક ગ્રન્યરૂપે સાક્ષાત્ ઉપયોગ કર્યો છે. લઘીયસ્રય, તત્ત્વાર્થસ્લોકવાર્તિક આદિ દિગમ્બરીય ગ્રન્થોના આધારે સટીક પ્રમાણનયતત્તાલોકની રચના કરાઈ હોવાના કારણે જેનતકભાષાની સાથે લઘીયસ્રય અને તત્ત્વાર્થસ્લોકવાર્તિકનું શબ્દસાદય સટીક પ્રમાણનયતત્ત્વાલક દ્વારા જ આવ્યું છે, સાક્ષાત્ નહિ. મોક્ષાકરે ધર્મકીર્તિના ન્યાયબિંદુને આધાર તરીકે રાખીને તેનાં કેટલાંક સૂત્રોની વ્યાખ્યાના રૂપમાં થોડોઘણો અચાન્ય શાસ્ત્રાર્થીય વિષય પૂર્વવર્તી બૌદ્ધ ગ્રન્થોમાંથી લઈને પોતાની નાતિસંક્ષિપ્ત નાતિવિસ્તૃત એવી પઠનોપયોગી તકભાષા લખી. કેશવમિએ પણ અક્ષપાદના પ્રથમ સૂત્રને આધાર તરીકે રાખી તેના નિરૂપણમાં સંક્ષેપરૂપમાંનૈયાયિકસમ્મત સોળ પદાર્થો અને વૈશેષિકસમ્મત સાત પદાર્થોનું વિવેચન ક્યું. બંનેએ પોતપોતાનાં મન્તવ્યો સિદ્ધ કરવાની સાથે સાથે તત્કાલીન વિરોધી મન્તવ્યોનું જ્યાંત્યાં ખંડન પણ ક્યું છે. ઉપાધ્યાયજીએ પણ આ સરણીનું અવલંબન લઈને જૈનતર્કભાષા રચી. તેમણે મુખ્યપણે પ્રમાણનયતત્ત્વાલોકનાં સૂત્રોને જ જ્યાં સંભવ હોય ત્યાં આધાર બનાવીને તેમની વ્યાખ્યા પોતાની રીતે કરી છે. વ્યાખ્યામાં ખાસ કરીને પાંચ જ્ઞાનના નિરૂપણના પ્રસંગમાં સટીક વિરોષાવશ્યકભાષ્યનું જ અવલંબન ઉપાધ્યાયજીએ લીધું છે. બાકીનાં પ્રમાણોના અને નયના નિરૂપણમાં પ્રમાણનયતત્તાલોકની વ્યાખ્યારત્નાકરનું અવલંબન છે અથવા તો એમ કહેવું જોઈએ કે પંચજ્ઞાન કેનિક્ષેપની ચર્ચા તો વિરોષાવશ્યકભાષ્ય અને તેની વૃત્તિનો સંક્ષેપમાત્ર છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy