SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોસથ-પૌષધ મહાવીરસમકાલીન અને પૂર્વકાલીન નિર્ઝન્ય પરંપરામાં ઉપોસથ યા પૌષધ વ્રતનો મોટો મહિમા હતો જેને બુદ્ધે પોતાની રીતે પોતાની પરંપરામાં પણ સ્થાન આપ્યું અને દેખાડ્યું કે બીજા સંપ્રદાયવાળાઓ જે ઉપોસથકરે છે તે આર્યનથી પરંતુ હું જે ઉપોસથકહું છું તે જ આર્ય છે. તેથી ‘ભગવતી’ અને ‘ઉપાસકદશાની પૌષધવિષયક હકીક્તને કોઈ પણ રીતે અર્વાચીન યા પાછલા સમયની આપણે ન માની રાકીએ. (2) આજીવક પરંપરામાં પણ પૌષધનું સ્થાન હોવાની સંભાવના છે પરંતુ તે પરંપરાનું સાહિત્ય આપણી સમક્ષ એવું નથી જેવું બૌદ્ધ અને નિર્ઝન્ય પરંપરાનું સાહિત્ય છે. તેથી પૌષધના અસ્તિત્વ અંગે બૌદ્ધ અને નિર્ઝન્ય પરંપરાની બાબતમાં જ નિશ્ચયપૂર્વક કંઈક કહી શકાય છે. આપણે જે “અંગુત્તરનિકાય'નો ઉપર નિર્દેશ કર્યો છે તેમાં ઉપોસથના સંબંધમાં વિસ્તૃત વર્ણન છે, તેનો સંક્ષિપ્ત સાર આ પ્રમાણે છે - “શ્રાવસ્તીનગરીમાં કોઈ એક વાર વિશાખા નામની ઉપાસિકાઉપોસથી લઈને બુદ્ધની પાસે આવી અને એક બાજુ બેસી ગઈ. ત્યારે તે વિશાખાને સંબોધીને બુદ્ધ કહે છે કે હે વિશાખે! પહેલો ઉપોસથ ગોપાલક કહેવાય છે. જેમ સાંજે ગોવાળો ગાયોને ચરાવીને તેમના માલિકોને પાછી સોંપે છે ત્યારે કહે છે કે આજ અમુક જગામાં ગાયો ચરી, અમુક જગામાં પાણી પીધું અને કાલે અમુક અમુક સ્થાનમાં ચરશે અને પાણી પીશે તેમ જે લોકો ઉપોસથ લીધા પછી ખાન-પાનની ચર્ચા કરે છે કે આજ અમે અમુક ખાધું, અમુક પીધું અને કાલ અમુક ચીજ ખાઈશું, અમુક પાન કરીશું ઇત્યાદિ તેમનો ઉપોસથ ગોપાલક ઉપોસથ છે. ઉપોસથ લઈને તે દિવસના તથા આગલા દિવસના ખાનપાન વિશે ચર્ચા કરનારાઓનો ઉપોસથ ગોપાલક ઉપોસથકહેવાય છે. નિર્ઝન્ય શ્રમણ પોતપોતાના શ્રાવકોને બોલાવીને કહે છે કે દરેક દિશામાં આટલા યોજનથી આગળ જે પ્રાણીઓ છે તેમના દંડને અર્થાત્ હિંસક વ્યાપારને છોડો તથા બધાં કપડાંનો ત્યાગ કરીને કહો કે હું કોઈનો નથી અને મારું કોઈ નથી ઇત્યાદિ. જુઓ વિશાખે તે નિર્ઝન્ય શ્રાવકો અમુક યોજન પછી આગળ ન જવાનો નિશ્ચય કરે છે અને એટલા યોજના પછીના પ્રાણીઓની હિંસાને ત્યાગે છે, પણ સાથે જ તેઓ મર્યાદિત યોજનાની અંદર રહેલાં પ્રાણીઓની હિંસાનો ત્યાગ નથી કરતા, તેથી તેઓ પ્રાણાતિપાતથી નથી બચતા. તેથી તે વિશાખે! હું તે નિર્ઝન્ય શ્રાવકોના ઉપોસથને પ્રાણાતિપાતયુક્ત કહું છું. તેવી જ રીતે, જ્યારે તે શ્રાવકો કહે છે કે હું એકલો છું, મારું કોઈ નથી, હું કોઈનો નથી ત્યારે તેઓ નિશ્ચિતપણે જાણે છે કે અમુક મારા માતાપિતા છે, અમુક મારી સ્ત્રી છે, અમુક પુત્ર આદિ પરિવાર છે. તેઓ જ્યારે મનમાં પોતાનાં માતાપિતા આદિને જાણે છે અને સાથે સાથે જ કહે છે કે હું એકલો છું, મારું કોઈ નથી, ત્યારે સ્પષ્ટપણે જ, હે વિશાખે ! તેઓ ઉપોસથમાં મૃષા બોલે છે. આમ, ગોપાલક અને નિર્ઝન્ય બંને ઉપોસથો કોઈ વિશેષ લાભદાયક નથી, પરંતુ હું જે ઉપોસથ કરવાનો ઉપદેશદઉં છું તે આર્ય ઉપોસથ છે અને અધિક લાભદાયક છે, કેમકે ઉપોસથમાં હું બુદ્ધ, ધર્મ અને સંઘ, શીલ આદિની ભાવના કરવા કહું છું જેનાથી ચિત્તના લેશો ક્ષીણ થાય છે. ઉપોસથકરનારા પોતાની સામે અહિતનો આદર્શ રાખીને કેવળ એક રાત, એક દિવસ સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy