SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્ઝન્યસમ્પ્રદાય યજ્ઞયાગાદિ વિધેય નથી, તો વૈષ્ણવ, આર્યસમાજ આદિ વૈદિક શાખાઓ તે રાબ્દોનો અર્થ જ અહિંસાપરક કરે છે યા તેમને પ્રક્ષિપ્ત માને છે. સારાંશ એ છે કે અતિવિસ્તૃત અને અનેકવિધ આચારવિચારવાળીવૈદિક પરંપરા પણ અનેક સ્થળે શાસ્ત્રીય વાક્યોનો હિંસાપરક અર્થ કરવો કે અહિંસાપરક એ મુદ્દા ઉપર પર્યાપ્ત મતભેદ ધરાવે છે. - શતપથ, તૈત્તિરીય જેવા પ્રાચીન પ્રતિષ્ઠિત બ્રાહ્મણ ગ્રન્થોમાં જ્યાં સોમયાગનું વિસ્તૃત વર્ણન છે ત્યાં અજ, ગો, અશ્વ આદિ પશુઓનું સંશપન કરવાનું - અર્થાત્ પશુઓનો વધ કરી તેમના માંસ આદિથી યજન કરવાનું - શાસ્ત્રીય વિધાન છે. તેવી જ રીતે પારસ્કરીય ગૃહ્યસૂત્ર આદિમાં જોઈએ છીએ કે જ્યાં અષ્ટક શ્રાદ્ધ, શૂલગવ કર્મ25 અને અત્યેષ્ટિ સંસ્કારનું 26 વર્ણન છે ત્યાં ગાય, બકરા જેવાં પશુઓનાં માંસ-ચરબી આદિ દ્રવ્યથી ક્રિયા સંપન્ન કરવાનું નિઃસંદેહ વિધાન છે. કહેવું નહિ પડે કે આવા માંસાદિપ્રધાન યજ્ઞ અને સંસ્કાર તે સમયની યાદ દેવડાવે છે જ્યારે ક્ષત્રિય અને વૈરયના જ નહિ પરંતુ બ્રાહ્મણ સુધ્ધાંના જીવનવ્યવહારમાં માંસનો ઉપયોગ સાધારણ વાત હતી. પરંતુ આગળ ઉપર સમય પસાર થતાં સ્થિતિ બદલાઈ જાય છે. વૈદિક પરંપરામાં જ એક એવો પ્રબળ પક્ષ પેદા થયો જેણે યજ્ઞ તથા શ્રાદ્ધ આદિ કર્મોમાં ધર્યરૂપે અનિવાર્ય મનાતી હિંસાનો જોરદાર વિરોધ શરૂ કર્યો. શ્રમણ જેવી અવૈદિક પરંપરાઓ તો હિંસક યાગ-સંસ્કાર આદિનો પ્રબળ વિરોધ કરતી જ હતી પરંતુ જ્યારે ઘરમાં જ આગ લાગી ત્યારે વૈદિક પરંપરાની પ્રાચીન શાસ્ત્રીય માન્યતાઓનાં મૂળ હચમચી ગયાં અને વૈદિક પરંપરામાં બે પક્ષ પડી ગયા. એક પક્ષે ધર્મે મનાતા હિંસક યાગ-સંસ્કાર આદિનું પ્રાચીન શાસ્ત્રીય વાક્યોના આધારે સમર્થન ચાલુ રાખ્યું જ્યારે બીજા પક્ષે તે જ વાક્યોનો કાં તો અર્થ બદલી નાખ્યો કાં તો અર્થ બદલ્યા વિના જ કહી દીધું કે આવા હિંસાપ્રધાનયાગ તથા સંસ્કાર કલિયુગમાં વર્ષ છે. આ બંને પક્ષોની દલીલબાજી અને વિચારસરણીની બોધપ્રદ તથા મનોરંજક કુસ્તી આપણને મહાભારતમાં પદે પદે જોવા મળે છે. અનુશાસન અને અશ્વમેધીય28 પર્વો આ બાબતમાં ખાસ ધ્યાન દઈને જોવા જેવો છે. 23. એક પ્રશ્નના ઉત્તરમાં સ્વામી દયાનન્દ સત્યાર્થપ્રકાશમાં જે કહ્યું છે અને ‘દયાનન્દ સિદ્ધાન્ત ભાસ્કર પૃ. 113 ઉપર જે ઉદ્ધત છે તેને અમે નીચે આપીએ છીએ જેનાથી એ સારી રીતે જાણી શકાય છે કે સ્વામીજીએ શાબ્દોને કેવા તોડીમરડીને અહિંસાદષ્ટિએનો અર્થ ર્યો છેરાજા ન્યાયધર્મથી પ્રજાનું પાલન કરે, વિદ્યાદિનું દાન દેનારા યજમાન અને અગ્નિમાં ઘી આદિનો હોમ કરવો અશ્વમેધ; અન્ન, ઇન્દ્રિયો, કિરણ (અને) પૃથ્વી આદિને પવિત્ર રાખવાં એ ગોમેધ, જ્યારે મનુષ્ય મરી જાય ત્યારે તેના શરીરનો વિધિપૂર્વક દાહ કરવો નરમેધ કહેવાય છે.' સત્યાર્થપ્રકાશસ. 11. 24. કાડ3, અ. 8-9 કાડ6, પ્રપાઠક 3. 26. કાષ્ઠ3, 4-8. 27. અનુશાસનપર્વ-117 શ્લોક 23. 28. અશ્વમેધીયપર્વ - અ. 91 થી 95; નકુલાખ્યાન અ. 94 અગત્યકૃત બીજમય યજ્ઞ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy