SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ નિત્યસમ્પ્રદાય લેવામાં ખચકાતો નથી. ઇતિહાસમાં પૂર્વજોના ભિન્ન અને વિરુદ્ધ એવા આચાર-વિચારની જો નોધ રહી હોય તો તેનોધને તેવફાદારીપૂર્વક વળગી રહે છે. એવું કરવામાં તે પોતાના વિરોધી પક્ષ દ્વારા કરવામાં આવતી નિન્દા કે આક્ષેપની લેશ પણ પરવા કરતો નથી. તે શાસ્ત્રાવાક્યોના પ્રાચીન, પ્રચલિત અને ક્યારેક સમ્ભાવિત એવા અર્થોનો પ્રતિષ્ઠા જવાના ભયથી ત્યાગ નથી કરતો. તે ભલેને ક્યારેક ક્યારેક વર્તમાન લોમતને વશ થઈને તેવાક્યોનો નવો પણ અર્થ કરે તો પણ તે છેવટે વિકલ્પરૂપે તો પ્રાચીન પ્રચલિત અને ક્યારેક સમ્ભાવિત અર્થને પણ વ્યાખ્યામાં સુરક્ષિત રાખે છે જ. આ છે માનવસ્વભાવનું બીજું પાસું-તેનો બીજો છેડો. ઐતિહાસિક તુલના ઉપર જણાવેલા બંને અન્ત યા છેડા સામસામે અને પરસ્પર વિરોધી છે. આ બંને અંતોમાંથી કેવળ જૈન સમાજ જ નહિ પરંતુ બોદ્ધ અને વૈદિક સમાજો પણ પસાર થયેલા દેખાય છે. જ્યારે ભારતમાં અહિંસામૂલક ખાનપાનની વ્યાપક અને પ્રબળ પ્રતિષ્ઠા જામીત્યારે માંસ-મસ્ય જેવી ચીજોનો આત્યંતિક વિરોધનકરનાર બૌદ્ધ સંપ્રદાયમાં પણ એક પક્ષ એવો પેદા થયો કે જેણે બૌદ્ધ સંપ્રદાયમાં માંસ-મસ્યના ત્યાગનું એટલી હદે સમર્થન ક્યું અને કહ્યું કે આવો માંસત્યાગ તો ખુદ બુદ્ધના સમયમાં અને બુદ્ધના જીવનમાં પણ હતો. આ પક્ષે પોતાના સમયમાં જામેલી ખાદ્યાખાદ્યવિવેકની પ્રતિષ્ઠાના આધારે જ પ્રાચીન બૌદ્ધ સૂત્રોના અર્થો કરવાનો પ્રયાસ કર્યો છે. એથી ઊલટું, બૌદ્ધ સંપ્રદાયમાં પહેલેથી જ એક સનાતન માનસવાળો બીજો પક્ષ પણ ચાલતો આવ્યો છે જે ખાદ્યાખાદ્યવિષયક પ્રાચીન સૂત્રોને તોડીમરડી તેમના અર્થોને વર્તમાન ઢાંચામાં ઢાળવાનો આગ્રહ નથી રાખતો. આ જ સ્થિતિ વૈદિક સંપ્રદાયના ઇતિહાસમાં પણ રહી છે. વૈષ્ણવ, આર્યસમાજ આદિ અનેક શાખાઓએ પ્રાચીન વૈદિક વિધાનોનો અર્થ બદલવાની કોશિશ કરી છે, પરંતુ ત્યારે પણ સનાતનમાનસ ધરાવતો મીસાંસક સંપ્રદાય જેવો ને તેવો સ્થિર રહીને પોતાના પ્રાચીન અર્થોથી લેશમાત્ર ચલિત નથી થતો - જોકે જીવનવ્યવહારમાં તો મીમાંસક પણ માંસ આદિને એવા જ અખાદ્ય સમજે છે જેવા અખાદ્ય વૈષ્ણવ અને આર્યસમાજ આદિ વૈદિક ફિરકાઓ સમજે છે. આ વિષયમાં બૌદ્ધ અને વૈદિક સંપ્રદાયનું ઐતિહાસિક અવલોકન આપણે છેલ્લે કરીશું જેનાથી જૈન સંપ્રદાયની સ્થિતિ બરાબર સમજી શકાય. વિરોધતાંડવઃ ઉપર સૂચવાયેલાં બે પાસાંનું પરસ્પર વિરોધતાંડવ જૈન સમાજની રંગભૂમિ ઉપર પણ હજારો વર્ષોથી ખેલાતું આવ્યું છે. પૂજ્યપાદ જેવા દિગમ્બરાચાર્ય અમુક સૂત્રોનોમાંસ-મસ્ય આદિ અર્થ કરાવાના કારણે કાં તો એવા સુત્રવાળા બધા ગ્રન્થોને છોડી દેવાનું સૂચવે છે કાંતો એવો અર્થ કરનારાઓને મૃતનિન્દક કહીને પોતાના પક્ષને ઊંચો સાબિત કરવાનું સૂચવે છે. દિગમ્બર સંપ્રદાયે શ્વેતામ્બરસ્વત આગમોને છોડી દેવાનું અસલ કારણ તો બીજું જ હતું અને આ અસલ કારણ આગમોમાં મર્યાદિત વસ્ત્રનું વિધાન કરનારાં વાક્યોનું પણ હોવું છે, પરંતુ જો આગમોને છોડવા જ હોય તો સંભવ હોય એટલા બીજા દોષો લોકોની આગળ રજૂ કરવામાં 15. જુઓ લંકાવતાર- માંસપરિવર્ત પરિચ્છેદ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy