SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાંક જ્ઞાતવ્ય જેના મન્તવ્યોનું કથન (1) [90) વેદાન્તપ્રક્રિયા કહે છે કે જ્યારે બ્રહ્મવિષયક નિર્વિકલ્પ બોધ થાય છે ત્યારે તે બ્રહ્મ માત્રના અસ્તિત્વને તથા બ્રહ્મભિન્ન જગતના અભાવને સૂચવે છે. સાથે સાથે જ વેદાન્તપ્રક્રિયા એ પણ માને છે કે આવો નિર્વિકલ્પક બોધ કેવળ બ્રહ્મવિષયક જ થાય છે, કોઈ પણ અન્યવિષયક થતો નથી. તેનો એ પણ મત છે કે નિર્વિકલ્પક બોધ થયા પછી ફરી ક્યારેય સવિકલ્પક બોધ ઉત્પન્ન થતો જ નથી. આ ત્રણે મન્તવ્યો વિરુદ્ધ ઉપાધ્યાયજી જેને મન્તવ્યદર્શાવતાં કહે છે કે નિર્વિકલ્પક બોધનો અર્થ છે શુદ્ધદ્રવ્યનો ઉપયોગ, જેમાં કોઈ પણ પર્યાયના વિચારની છાયા સુધ્ધાં ન હોય. અર્થાત્ જે જ્ઞાન સમસ્ત પર્યાયોના સંબંધના અસંભવનો વિચાર કરીને કેવલ દ્રવ્યને જ વિષય કરે છે, ચિત્યમાન દ્રવ્યથી ભિન્ન જગતના અભાવને પણ વિષય કરતું નથી, તે જ્ઞાન નિર્વિકલ્પક બોધ છે. તેને જૈન પરિભાષામાં શુદ્ધદ્રવ્યનયાદેશ પણ કહેવામાં આવે છે. (2) એવો નિર્વિકલ્પક બોધનો અર્થ દર્શાવીને તેમણે એ પણ દર્શાવ્યું છે કે નિર્વિકલ્પક બોધ જેમચેતનદ્રવ્યમાં પ્રવૃત્ત થઈ શકે છે તેવી જ રીતે ઘટ આદિ જડ દ્રવ્યમાં પણ પ્રવૃત્ત થઈ શકે છે. એવો કોઈ નિયમ નથી કે તે ચેતનદ્રવ્યવિષયક જ હોય. વિચારક જે જે જડ યાચેતન દ્રવ્યમાં પર્યાયોના સંબંધના અસંભવનો વિચાર કરીને કેવળદ્રવ્યના સ્વરૂપનું ગ્રહણ કરશેતે તે જડ ચેતન બધાં દ્રવ્યોમાં તેને નિર્વિકલ્પક બોધ થઈ શકશે. (3) [92] ઉપાધ્યાયજીએ એ પણ સ્પષ્ટક્યું છે કે જ્ઞાનસ્વરૂપ આત્માનો સ્વભાવ જ એવો છે કે તે એક માત્ર નિર્વિકલ્પક જ્ઞાનસ્વરૂપ જ નથી રહેતો. તે શુદ્ધ દ્રવ્યનો વિચાર છોડી પર્યાયો તરફ ઝૂકે છે ત્યારે તે નિર્વિકલ્પક જ્ઞાન પછી પણ પર્યાયસાપેક્ષસવિકલ્પક જ્ઞાન પણ કરે છે. તેથી એ માનવું યોગ્ય નથી કે નિર્વિકલ્પક બોધ પછી સવિકલ્પક બોધનો સંભવ જ નથી. (4) વેદાન્ત દર્શન કહે છે કે બ્રહ્મવિષયક નિર્વિકલ્પક બોધ ‘તત્ ત્વમસિ' ઇત્યાદિ શબ્દજન્યજ છે. આના વિરુદ્ધ ઉપાધ્યાયજી કહે છે કે (પૃ. 30, પૃ. 24) એવો નિર્વિકલ્પક બોધ પર્યાયવિનિર્મક્તવિચારસહકૃત મનથીજ ઉત્પન્ન થતો હોવાના કારણે મનોજન્ય મનાવો જોઈએ, નહિ કે શબ્દજન્ય તેમણે પોતાને અભિમત મનોજન્યત્વનું સ્થાપન કરવાના પક્ષમાં કેટલીક અનુકૂળ કૃતિઓને પણ ઉઠ્ઠત કરી છે [94, 95). (5) [93] સામાન્યપણે જેને પ્રક્રિયામાં એવી પ્રસિદ્ધિ છે કે નિર્વિકલ્પક બોધ તો અવગ્રહનું જ બીજું નામ છે. આવી દશામાં એ પ્રશ્ન ઉદ્ભવે છે કે તો પછી ઉપાધ્યાયજીએ નિર્વિકલ્પક બોધને માનસિક કેવી રીતે કહ્યો?, કેમકે અવગ્રહ વિચારસહકૃતમનોજન્યનથી જ્યારે શુદ્ધદ્રવ્યોપયોગરૂપ નિર્વિકલ્પક બોધ તો વિચારસહકૃતમનોજન્ય છે. આનો ઉત્તર તેમણે એ આપ્યો છે કે જે વિચારસહકૃતમનોજન્ય શુદ્ધદ્રવ્યોપયોગને અમે નિર્વિકલ્પક કહ્યો છે તે તો ઈહાત્મકવિચારજન્ય અપાયરૂપ છે અને નામજાત્યાદિકલ્પનાથી રહિત પણ છે.ll આ બધાં જેનાભિમત મન્તવ્યોનું સ્પષ્ટીકરણ કરીને છેવટે તેમણે એ જ સૂચવ્યું છે કે પૂરી વેદાન્તપ્રક્રિયા એક રીતે જે સંમત શુદ્ધદ્રવ્યનયાદેશની જ વિચારસરણિ છે, તેમ છતાં પણ વેદાન્તવાક્યજન્ય બ્રહ્મમાત્રનો સાક્ષાત્કાર જ કેવલજ્ઞાન છે એવું વેદાન્તમન્તવ્ય તો કોઈ પણ રીતે જનસંમત હોવું અશક્ય છે. 11. જુઓ જ્ઞાનબિન્દુ ટિપ્પણ, પૃ. 14 એ. 25થી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy