SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ છે; પણ માત્ર વૈયક્તિક ચિત્તની શુદ્ધિમાં પૂર્ણ મુક્તિ માની લેવી એ વિચાર અધૂરો છે. સામૂહિક ચિત્તની શુદ્ધિ વધારતા જવી એ જ વૈયક્તિક ચિત્તશુદ્ધિનો આદર્શ હોવો જોઈએ અને એ હોય તો કોઈ સ્થાનાન્તરમાં કે લોકાન્તરમાં મુક્તિધામ માનવા કે કલ્પવાની જરાય જરૂર નથી. એવું ધામ તો સામૂહિક ચિત્તની શુદ્ધિમાં પોતાની શુદ્ધિનો ફાળો આપવો એ જ છે. ૪. દરેક સંપ્રદાયમાં સર્વભૂતહિત ઉપર ભાર અપાયો છે, પણ વ્યવહારમાં માનવસમાજના હિતનો પણ પૂર્ણપણે અમલ ભાગ્યે જ જોવામાં આવે છે. તેથી પ્રશ્ન એ છે કે પ્રથમ મુખ્ય લક્ષ્ય કઈ દિશામાં અને કયા ધ્યેય તરફ આપવું. બંને લેખકોની વિચારસરણી સ્પષ્ટપણે પ્રથમ માનવતાના વિકાસ ભણી લક્ષ્ય આપવા અને તે અનુસાર જીવન જીવવા કહે છે. માનવતાનો વિકાસ એટલે તેણે આજ સુધી જે જે સદ્ગુણો જેટલા પ્રમાણમાં સાધ્યા હોય તેની પૂર્ણપણે રક્ષા કરવી અને તેની મદદથી તે જ સગુણોમાં વધારે શુદ્ધિ કેળવવી અને નવા સદ્દગુણ ખીલવવા, જેથી માનવ-માનવ વચ્ચે કંઠ અને શત્રુતાનાં તામસ બળો પ્રગટવા ન પામે. જેટલા પ્રમાણમાં આ રીતે માનવતા-વિકાસનું ધ્યેય સધાતું જશે તેટલા પ્રમાણમાં સમાજજીવન સંવાદી અને સૂરીલું બનતું જવાનું. તેનું પ્રાસંગિક ફળ સર્વભૂતહિતમાં જ આવવાનું. તેથી દરેક સાધકના પ્રયત્નની મુખ્ય દિશા તો માનવતાના સગુણોના વિકાસની જ રહેવી જોઈએ. આ સિદ્ધાંત પણ સામૂહિક જીવનની દૃષ્ટિએ જ કર્મફલનો નિયમ ઘટાવવાના વિચારમાંથી જ ફલિત થાય છે. ઉપરની વિચારસરણી ગૃહસ્થાશ્રમને કેન્દ્રમાં રાખીને જ સામુદાયિક જીવન સાથે વૈયક્તિક જીવનનો સુમેળ રાખવાનું સૂચન કરે છે. ગૃહસ્થાશ્રમમાં જ બાકીના બધા આશ્રમોના સદ્ગુણો સાધવાની તક મળી રહે એવું એ સૂચન છે, કેમકે તેમાં ગૃહસ્થાશ્રમનો આદર્શ જ એવો બદલાઈ જાય છે કે તે કેવળ ભોગનું ધામ ન રહેતાં ભોગ અને યોગના સુમેળનું ધામ બની જાય છે. એથી ગૃહસ્થાશ્રમથી વિચ્છિન્નપણે અન્ય આશ્રમોનો વિચાર કરવાપણું રહેતું નથી. ગૃહસ્થાશ્રમ જ ચતુરાશ્રમના સમગ્ર જીવનનું પ્રતીક બની જાય છે. તે કેવળ નૈસર્ગિક પણ છે. શ્રી મશરૂવાળાનું એક નિરાળું વ્યક્તિત્વ એમનાં લખાણોથી સૂચિત થાય છે. એ લખાણો વાંચી-વિચારીને મારી ખાતરી થઈ છે કે એમનામાં કોઈ અન્તપ્રજ્ઞાની અખંડ સેર વહ્યા કરે છે. ચિત્તશુદ્ધિની સાધનાની અમુક ભૂમિકામાં પ્રગટ થતો એ સત્યમુખી પ્રજ્ઞોદય છે. એમની કેટલીક લાક્ષણિકતા તો આંજી નાખે તેવી છે. જ્યારે તેઓ તત્ત્વચિંતનના ઊંડા પ્રદેશમાં ઊતરી પોતાના વક્તવ્યને સ્ફટ કરવા કોઈ ઉપમા વાપરે છે ત્યારે તે પૂર્વોપમાની કોટિની હોય છે અને તે સ્થળનું લખાણ ગંભીર તત્ત્વચિંતનપ્રધાન હોવા છતાં સુંદર અને સરળ સાહિત્યિક નમૂનો પણ બની જાય છે. આના બે એક દાખલા સૂચવું. પૃ. ૩૭ પર ગંગાના પ્રવાહને અખંડ રાખવા માટે પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy