SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરાજ્ય અને સુરાજ્ય • ૧૫૭ થયો નથી. ઊલટું કાયદાની ગૂંચો વધવા સાથે ન્યાયના પવિત્ર આસન પર બેઠેલાઓ પણ પોતાની ફરજ વધારે ભૂલતા દેખાય છે. સુરાજ્યનું એક લક્ષણ એ છે કે તેમાં કરનું ધોરણ એવું હોય કે કરને ભરનાર અને તેને વસૂલ કરનાર બેમાંથી કોઈને હાડમારી સહેવી ન પડે અને સરળતાથી સરકારના હાથમાં કર આવે. આજે આથી સાવ ઊલટું છે. કર ભરનારની હેરાનગતિનો સરકારને અંદાજ જ નથી. એની વસૂલાતમાં ગોટાળા કેવા થાય છે એનો પણ જાણે પૂરો ખ્યાલ કોઈને આવતો નથી. અને સરકારના ખજાનામાં કર આવવાને બદલે મોટા પ્રમાણમાં તે વચ્ચે જ કેવો ભરખાઈ જાય છે એનો પણ સાચો તોલ કોઈને હોય એમ લાગતું નથી. આને લીધે પ્રજા ઉપર કરનું ભારણ વધવા છતાં તેનો લાભ પ્રજાને મળતો નથી અને સરકારને પૈસાની ખોટ ઊભી જ રહે છે. આ માટે બહુમુખી વેચાણવેરાનો દાખલો ટાંકી શકાય. મોટા અમલદારોમાં હૈયાઉકલત જોઈતા પ્રમાણમાં હોત તો એમણે ક્યારનો ઉકેલ કાઢ્યો હોત એમ કોઈ કહે તો તેને અવગણી નહિ શકાય. સુરાજ્યનું એક લક્ષણ એ પણ છે કે તેમાં સૌને વૈદકીય સારવાર સરળતાથી મળે અને તે પોસાય તેવી હોવી જોઈએ. આજે આ સ્થિતિ નથી. જાણે પૈસાદારો જ જીવવા સર્જાયા છે અને બીજાને જીવવાનો તેવો હક્ક નથી, એ વસ્તુ અત્યારની સરકારી, અર્ધસરકારી કે ખાનગી વૈદકીય સારવાર કરનાર સંસ્થાઓના વ્યવહારથી તરી આવે છે. મધ્યમ વર્ગના અને તેથીયે ઊતરતા વર્ગના લોકો કેવા કષ્ટ સારવાર મેળવે છે અને એ મેળવવા જતાં પેટે કેવા પાટા બાંધવા પડે છે ! જો સારવારથી સાજા થવાય તો એનો કારી ઘા કેવો લાગે છે અને તે કેટલા વખત સુધી તેને મૂંઝવે છે એનો ખ્યાલ કોઈ સત્તાભોગીને આવતો હોય તો પણ એક સારું લક્ષણ ગણાય. સુરાજ્યનાં ઘણાં લક્ષણો દર્શાવી તેના અસ્તિત્વ-નાસ્તિત્વ વિશે ચર્ચા લંબાવી શકાય, પણ એ જરૂરી નથી. તેમ છતાં એક દાખલો ટાંકવો જોઈએ. જો છાપાનો હેવાલ જૂઠો ન હોય તો તે જવાબદાર મંત્રીઓ જેવાની વિચારસરણી ઉપર પ્રકાશ નાખે છે. મુંબઈ પ્રાંતના એક મંત્રીને પૂછવામાં આવ્યું કે મંત્રીઓનો પગાર પૂરતો છે કે નહિ ? મંત્રી મહાશયે અપૂરતો કહ્યાનું છાપામાં આવ્યું છે. પ્રશ્ન એ છે કે અપૂરતો કયા અર્થમાં ? મોટા મોટા ઉદ્યોગપતિઓની આવકની સરખામણીમાં કે “અ' વર્ગનાં રાજ્યોના રાજાઓનાં સાલિયાણાંઓની સરખામણીમાં? જો એમ હોય તો તે અપૂરતો અવશ્ય છે. પણ જનતાના મોટા ભાગને જે સગવડો છે તે કરતાં મંત્રીઓની સગવડ ઓછી છે કે વધારે? જો વધારે હોય તો અપૂરતો ન કહી શકાય. છેવટે તો તેઓ જનતાના પ્રતિનિધિ છે, નહિ કે માત્ર માલદારના. હું ધારું છું, મંત્રીઓને રહેવાની અગવડ નહિ હોય, પોશાક તેમજ ખાનપાનની નહિ હોય, અને અંગત પરિવારને તાલીમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy