SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫. સ્વરાજ્યને છઠે વર્ષે બ્રિટિશ અમલ હતો ત્યારે સ્વરાજ્ય ન હતું. સ્વરાજ્ય ન હતું એમ આપણે કહેતા અને અત્યારે પણ કહીએ છીએ, ત્યારે તેનો અર્થ શો એ સમજી લેવું જોઈએ. સામાન્ય પ્રજા, અમલદાર વર્ગ, રાજ્ય કરતો કે સત્તા ભોગવતો વર્ગ અને મૂડીદાર વર્ગ – એ બધાના અવાજ કરતાં વધારે પ્રભાવશાળી તેમજ ધાર્યું કરે તેવો અવાજ બ્રિટિશ સત્તાનો હતો. બ્રિટિશ અમલ જેમ જેમ સ્થપાતો ગયો તેમ તેમ તેનો કડપ અનેક રીતે વધારે ને વધારે બેસતો ગયો. બ્રિટિશરો સામનીતિથી કામ લેતા, દામથી પણ કામ લેતા, ભેદનીતિ તો તેમના લોહીમાં વણાયેલી રહી છે, પણ સત્તાની જમાવટ અને પ્રચારમાં તેમની દંડનીતિ એટલી બધી સખત હતી કે જ્યાં કોઈએ સહેજ વધારે પડતું માથું ઊચકર્યું કે એ મૂઓ જ પડ્યો છે. શરૂઆતમાં પોતાની સ્વચ્છેદ સત્તા ઉપર અંકુશો મુકાયા તેથી ઘણા નાના મોટા રાજાઓ, સામંતો કે જમીનદારોએ માથું ઊંચકર્યું, પણ તેમને એવી રીતે ભોંયભેગા કરવામાં આવ્યા કે બીજાઓની સાન આપોઆપ ઠેકાણે આવી. શરૂઆતમાં પોતાના ધર્મવર્તુલોમાં પાશ્ચાત્ય પ્રભાવ પડવાની ધાસ્તીથી કેટલાક ધર્મગુરુઓ અને મહંતોએ પણ બ્રિટિશ સત્તા વિરુદ્ધ હિલચાલ કરી, પણ છેવટે શાણા બ્રિટિશરોએ તેમને અભયદાન આપ્યું કે ધર્મકર્મની બાબતમાં રાજ્ય હાથ નહિ નાખે. તેથી બધા જ ધર્મપંથના આગેવાનો નિર્ભય બની ગયા, તેમજ બ્રિટિશ સત્તાની જમાવટના એક અથવા બીજી રીતે પોષક પણ બની ગયા. વ્યાપારી તેમજ બીજો મૂડીદારવર્ગ એ માત્ર પોતાની કમાણી ઇચ્છતો. તેમને પણ વિદેશી માલના દલાલ થવાનું નવું દ્વાર મળી ગયું, ને તેઓને પણ રાજસત્તા વિરુદ્ધ કહેવાનું કાંઈ ન રહ્યું. આ રીતે આખા બ્રિટિશ અમલ દરમ્યાન જોઈએ છીએ કે ભણેલ અને વગસગ ધરાવનાર આખો વર્ગ જાણે ઠરીને ઠામ બેઠો. જે મોટા વર્ગને બહુ ઘસાવું પડતું, સહેવું પડતું ને આગળ વધવામાં જેને માટે દ્વાર ન હતાં અથવા નામમાત્રનાં હતાં, તે વર્ગના અસંતોષને વાચા આપનાર પ્રથમ તો કોઈ હતું નહિ; અને જ્યારે વાચા આપનાર વર્ગ ઊભો થયો અને વધતો ગયો ત્યારે પણ એનો અવાજ બહુ ધીરો અને અસ્પષ્ટ હતો. તેથી, એક રીતે જાણે કે, આખો દેશ સંતોષી અને સુખી હોય એવો ભાસ થતો. અને છતાં, તે વખતે સ્વરાજ્ય નથી એમ સહુ માનતાં. જ્યારે દેશમાં આટલી સારી વ્યવસ્થા હોય, વિશાળ પ્રમાણમાં For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy