SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪. સત્તાબળ અને સત્યબળ ભારતે સ્વતંત્રતા મેળવી. તેના પાયામાં જો કોઈ મુખ્ય બળે જો ભાગ ભજવ્યો હોય તો તે ભાગ સત્યબળનો હતો એમ કોઈ પણ કહી શકશે. ગાંધીજી સ્વતંત્રતાસંગ્રામના સેનાની ન હોત તો સ્વતંત્રતા પ્રાપ્તિનું પ્રેરકબળ કર્યું હોત એ અત્યારે ન કહી શકાય. ગમે તે હો, પણ આજની સ્થિતિમાં એમ કહી શકાય કે ભારતે મુખ્યપણે સત્યને બળે સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે, એટલે જો એ બળ એના પાયામાં ન હોય તો એની સ્વતંત્રતા પોલી અને જો એ બળ ઉત્તરોત્તર પોષાતું કે વધતું ન જાય તો એટલે અંશે લાધેલ સ્વતંત્રતા પણ માત્ર નામની જ રહેવાની. સત્યનું બળ એ એક બળ છે. જેણે જેણે જેટલે અંશે જીવનમાં સત્ય ઉતાર્યું હોય તેને તેને એના બળનો તેટલે અંશે અનુભવ હોય જ છે; પણ સત્યનું બળ પ્રગટાવવું, તેને ટકાવી રાખવું અને વધારે ને વધારે પોષવું તેમજ વ્યાપક બનાવવું એ કામ સહેલું નથી. સત્યબળનાં વિરોધી ઘણાં બળો છે. એ બધાં વિરોધી બળ સામે સત્યબળને ટકાવવું એ જ ખરી મુશ્કેલી છે. આ મુશ્કેલી સમજવા અને તેનાં વિરોધી બળોને માપવા માટે ટૂંકમાં જાણવું જરૂરી છે કે એવાં વિરોધી બળો કયાં કયાં છે અને તે કઈ રીતે સત્યબળની આડે આવે છે તેમજ સ્વતંત્રતાના આત્માને હણે છે. જડ કે ચેતન બધાંમાં હસ્તી હોય જ છે. હસ્તી એટલે અસ્તિત્વ. દરેક વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ટકાવવા મથે છે. જ્યારે અસ્તિત્વ ટકાવવા મથનાર ચેતન હોય ત્યારે એનું એ મથન સત્તાબળ કહેવાય છે. અસ્તિત્વનું ભાન, તેને ટકાવવાની વૃત્તિ અને તે માટે જાયે-અજાણે યોગ્ય કે અયોગ્ય થતો પ્રયત્ન એ બધું સત્તાબળમાં આવે જ છે. જ્યારે કોઈ જીવ કે વ્યક્તિ શરીરથી મજબૂત હોય ત્યારે તે શરીરનો આશ્રય લઈ પોતા કરતાં નબળા ઉપર કાબૂ જમાવવા ઇચ્છે અને મથે છે. કોઈ વાણીશક્તિ ધરાવતો હોય તો તે એ દ્વારા પોતાનું સત્તાબળ અજમાવી બીજાથી ચઢિયાતો થવા ઇચ્છે છે. સૌન્દર્ય, સંપત્તિ, વિદ્યા કે બીજાં તેવાં સાધનોમાં જે ચઢિયાતો હોય તે તે જ સાધનો દ્વારા બીજા નબળા ઉપર પોતાનો સિક્કો જમાવવા ઇચ્છે છે. નબળો ગણાતો હોય તો તે પણ પોતાથી વધારે નબળા ઉપર સત્તા જમાવવા ઈચ્છે છે. આ સિદ્ધાંત જીવનના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy