SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ • ૯૩ ભગવાન મહાવીર બાદ લગભગ આઠમા-નવમા સૈકામાં થયેલ દેવવાચક આચાર્યું જોયું કે સાધારણ લોકો સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ શબ્દના પ્રાથમિક અર્થની સમજણને લીધે એમ ધારી બેઠાં છે કે જેનેતર ગણાતું શ્રુત મિથ્યાશ્રુત છે અને તેનો અભ્યાસ કે પરિશીલન મિથ્યાદૃષ્ટિ કહેવાય, ત્યારે તેમણે શ્રુતપરંપરા અને સમજણના વિકાસને રૂંધાતો અટકાવવા સ્પષ્ટપણે કહ્યું કે જૈનેતર શ્રત જ મિથ્યા છે અને જૈનશ્રુત જ સમ્યફ છે એમ નથી, પણ દષ્ટિ સાચી અને સમ્યફ હોય તો જૈન કે જૈનેતર ગમે તે શ્રત સમ્યક-સાચું હોઈ શકે અને જો દૃષ્ટિ જ મૂળમાં વિપરીત હોય તો જૈન કહેવાતું શ્રત પણ મિથ્યાશ્રુત હોઈ શકે. આ રીતે તેમણે એક જમાનામાં જૈનપરંપરાને એવી શીખ આપી કે તે સંકુચિતમાંથી મુક્ત બને. તેને પરિણામે અનેક ઉત્તરવર્તી આચાર્યો ને વિદ્વાનો એવા પાક્યા કે જેમણે જેને શ્રતને ભાષા, વિચાર અને તાત્પર્યથી અનેકધા વિકસાવ્યું. દેવવાચક પેઠે આચાર્ય હરિભ “યોગદષ્ટિસમુચ્ચય'માં બીજી રીતે પણ સમ્યગ્દષ્ટિ શબ્દના અર્થમાં વિકાસ સૂચવ્યો. તેમણે કહ્યું કે બુદ્ધ, કપિલ, જિન આદિની વાણી અને શૈલી ભલે જુદી જુદી હોય, પણ છેવટે તેઓ બધા કલ્યાણવાદી હોવાથી સર્વજ્ઞ છે. સમ્યગ્દષ્ટિ શબ્દના શરૂઆતમાં ગ્રહણ કરાતા અર્થના વિકાસમાં આ કાંઈ જેવી તેવી ફાળ નથી. એવા અર્થવિકાસનું પહેલું પગથિયું એટલે જીવનમાત્રમાં ચેતનતત્ત્વના અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવવી તેમજ એવી શ્રદ્ધાને પરિણામે ચેતન ઉપરનાં અજ્ઞાન તેમજ રાગદ્વેષાદિ આવરણોને ચારિત્રના સમ્યફ પુરુષાર્થથી ભેદવાની શક્યતાના ચરિત્રલક્ષી તત્ત્વમાં શ્રદ્ધા ધરાવવી તે સમ્યગ્દષ્ટિ અગર આસ્તિકતા. આથી ઊલટું એટલે કે ચેતનતત્ત્વમાં કે ચારિત્ર્યલક્ષી તત્ત્વમાં શ્રદ્ધા ન રાખવી તે મિથ્યાષ્ટિ અગર નાસ્તિકતા. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિનો અનુક્રમે તત્ત્વવિષયક શ્રદ્ધા કે અશ્રદ્ધા એવો જ અર્થ વિકાસક્રમમાં ફલિત થાય છે. તે પ્રથમના સ્થળ સામ્પ્રદાયિક અર્થ કરતાં ઘણો વિશાળ હોઈ અનેક સમ્પ્રદાયોની તાત્ત્વિક માન્યતાને પોતામાં સમાવે છે. સામ્પ્રદાયિક અર્થમાં માત્ર અમુક સમ્પ્રદાય કે ફિરકાની ચૂળ આચારવિચારની પ્રણાલિકાઓ, તેનો ઇતિહાસ અને માત્ર તેની જ પરિભાષાઓને માનવાનો સમાવેશ થાય છે, જ્યારે ચેતનતત્ત્વ અને ચારિત્ર્યલક્ષી તત્ત્વમાં શ્રદ્ધા સેવવી એવો સમ્યગ્દષ્ટિ અર્થ કોઈ એક જ સમ્પ્રદાય કે અમુક જ ફિરકાને નથી લાગુ પડતો. તેમાં તો ઉપલક દૃષ્ટિએ પરસ્પરવિરોધી દેખાતા અને વિરોધને લીધે અરસપરસ આખડતા એવા અનેક સમ્પ્રદાયોનો સમાશ થાય છે. આ રીતે સમ્યગ્દષ્ટિનો અર્થ વિસ્તરતાં અનેક ધર્મપરંપરાઓ એકબીજાની નજીક આવે છે ને તેમનાં વચ્ચે જે સ્થૂળ અર્થને લીધે ગેરસમજૂતીઓ ઊભી થયેલી હોય તે વિલય પામે છે. વાચક ઉમાસ્વાતિ નામના જૈન આચાર્યે સમ્યગ્દષ્ટિનો અર્થ બતાવતાં કહ્યું છે કે આધ્યાત્મિક અને ચારિત્રલક્ષી તત્ત્વોમાં શ્રદ્ધા સેવવી તે જ સમ્યગ્દર્શન આપણે જોઈએ છીએ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy