SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વચ્છ જીતનમાં અમત્યનાં અન્ય અંગો યોગ્ય આહાર, વિહા૨ અને નિદ્રા એ ત્રણેય બાબતો જીવનને નીરોગી બનાવી, આયુષ્ય વધારી શરીરને ચેતનવંતુ બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. શરીરનો વિકાસ ખાસ કરીને આહાર ઉપર આધારિત છે. આહાર સમતોલ અને પોષણયુક્ત હોવો જોઈએ. ગમે તે સમયે ગમે તેવો ખોરાક ખાવાની ટેવ શરીરને નીરોગી રાખી શકતી નથી. ખોરાક જીવનચર્યાનો મુખ્ય આધાર છે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. તદ્દન અધૂરો, પોષણ વિનાનો અને ચાવ્યા વિનાનો ખોરાક શરીરને નુકસાન કરે છે. યોગાસન કરનાર વ્યક્તિ માટે નીચેની વિગતો ધ્યાનમાં લેવી જરૂરી છે ઃ કોઈ પણ સમયે ગળા સુધી અકરાંતિયું ભોજન લેવું નહિ. જેટલી ભૂખ હોય તેટલું જ જમવું. જમતી વખતે બે કોળિયા ઓછો ખોરાક ખાવો, જેથી તેનું સરળતાથી પાચન થાય. સામાન્ય રીતે ખોરાક દિવસમાં ત્રણ વખત લઈ શકાય. ખોરાક લેવાનો સમય (૧) સવારે નાસ્તો (૨) બપોરે ભોજન (૩) સાંજે વાળુ હોવો જોઈએ. સવારમાં ઊઠીને કરવાનો કાર્યક્રમ : - (૧) ઉષઃપાન કરવું. ઉષઃપાન એટલે રાતના તાંબાના લોટામાં ૨૫૦ મિલિલિટર પાણી ભરી મૂકવું અને તે પાણી સવારના ગરમ કરીને પીવું. ગરમ પાણી માફક ન આવે તો ઠંડું પાણી પીવું. તાંબાના લોટામાં ભરેલું પાણી સવારમાં પીવું તેને ઉષઃપાન કહે છે. આ ઉષઃપાનથી આંતરડાને પૂરતા પ્રમાણમાં પાણી મળે છે જેથી થોડા સમયમાં ખુલાસાપૂર્વક મળ-પ્રવૃત્તિ થાય છે. (૨) ઉષઃપાન અનુકૂળ ન આવે તો રાતના સૂતાં પહેલાં ૧ ચમચી કાળી મેથી પાણી સાથે (આખી) ગળી જવી. આ મેથી આખી રાત આંતરડામાં રહીને લે છે અને આંતરડામાં મળને આગળ વધવામાં મદદરૂપ બને છે. (૩) સવારમાં દૂધ અથવા ગાજરનો રસ લેવો. અથવા ઘઉંના જવારા ચાવીને ખાવા ઘઉંના જ્વારાનો રસ અથવા મોળી છાસ પીવી. (૪) સવારમાં નવશેકા ગરમ પાણી સાથે ૧ ચમચો લીંબુનો રસ અને ગોળ ભેગા કરી, હલાવીને પીવું. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001189
Book TitleYoga Swasthya ane Manav Mulyo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1995
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati, Yoga, & Ethics
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy