SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ પાળી સ્વર્ગમાં ગયા. ત્યાંથી મનુષ્યભવમાં આવી મોક્ષે જશે. આ પ્રમાણે નરવર્મરાજાની જેમ મનમાં ધર્મનો પક્ષપાત કરવો. એ સમ્યક્ત્વનો “મનશુદ્ધિ” નામનો બોલ છે. ૨૦. શાસ્ત્રમાં કહ્યું છે કે तित्थंकरचलणाराहणेण, जं मज्झ सिज्झइ न कजं । પન્થેમિ તત્વ નન્ન, વિસેદિ વવમુદ્રી॥ સ.સ. ૨૬॥ જિનેશ્વર પરમાત્માના ચરણકમલોની આરાધના કરવાથી, સેવાભક્તિ અને બહુમાનાદિ કરવાથી (આપણાં પૂર્વકૃત કર્મો જે ચીકણાં હોવાના કારણે ક્ષય ન પામ્યાં હોય, તેથી) જે મનવાંછિત ઇષ્ટ કાર્ય સિદ્ધ ન થાય, તે કાર્ય ઇતરદેવોની સેવા-ભક્તિથી કદાપિ થતું નથી જ, એવું જે મુખે બોલવું તથા આવા પ્રકારનાં વચનો દ્વારા જૈનધર્મનો અત્યંત જે પક્ષપાત તે વચનશુદ્ધિ કહેવાય છે. વીતરાગની ભક્તિ પૂર્વકૃત કર્મોનો નાશ કરનારી છે તે ભક્તિ કરવા છતાં જો કર્મો ન તૂટ્યાં તો સમજવું જોઇએ કે કર્મો વધુ તીવ્ર છે. તેવાં કર્મો ઇતર દેવોની ભક્તિ-સેવાથી કેમ તૂટે ? આવું બોલવું. પ્રચાર કરવો તેવી જગતમાં પ્રરૂપણા કરવી તે સઘળી વચનશુદ્ધિ કહેવાય છે. તેના ઉપર-ભોજ રાજાની સભામાં સોમચંદ્ર બ્રાહ્મણ અને સોમશ્રી બ્રાહ્મણીએ દંપતીના પુત્ર ધનપાલ પંડિતની સુંદર કથા છે. ધનપાલ પંડિત અને શોભનમુનિ બન્ને ભાઇઓ હતા. તેઓની વચનશુદ્ધિ ઉપર કથા જાણવા જેવી છે. ઘણી લાંબી હોવાથી અહીં આપી નથી. વિશેષાર્થીએ સમ્યક્ત્વ સપ્તતિની ટીકામાંથી આ કથા જાણી લેવી. ૨૧. શ્રી જિનેશ્વર પરમાત્માનું શાસન પામ્યા પછી અને તેમનું સમ્યક્ત્વ હૃદયમાં સ્થિર થયા પછી મિથ્યાદૃષ્ટિઓ તરફથી ગમે તેવી છેદન-ભેદન આદિ અનેકવિધ પીડાઓ આવે તો પણ તારક-સર્વજ્ઞ-વીતરાગ દેવ વિના અન્યને નમસ્કાર કરવા નહીં. આ પવિત્ર કાયા આવા તુચ્છ વ્યક્તિઓની સેવા કરે નહીં. એવો જે દૃઢ નિયમ તે ત્રીજી કાયશુદ્ધિ કહેવાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001187
Book TitleSamkitna Sadsath Bolni Sazzay
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Samyaktva
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy