SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ પરસ્પર અત્યંત સ્નેહ જાણીને રાજાએ તે બન્નેનો જ વિવાહ કર્યો. આવા પ્રકારના અઘટિત કાર્યથી નિર્વેદ પામેલી પુષ્પવતી રાણીએ દીક્ષા સ્વીકારી, નિર્મળ ચારિત્ર પાળી દેવલોકમાં ગઈ. અવધિજ્ઞાનથી પોતાનાં જ પુત્રપુત્રીને પતિ-પત્ની રૂપે વિષય સુખ અનુભવતાં જોઇને પ્રતિબોધ માટે સ્વપ્નમાં નરકની વેદના દેખાડવા લાગી, પુષ્પચૂલ અને પુષ્પચૂલા નરકની વેદનાનું સ્વપ્ન પરસ્પર કહેવા લાગ્યાં અને નરકનું સ્વરૂપ જાણવા માટે દર્શનશાસ્ત્રીઓને બોલાવ્યા, તેઓના ઉત્તરથી પુષ્પચૂલને સંતોષ ન થતાં “અર્ણિકાપુત્ર” આચાર્યને બોલાવ્યા, તેઓએ નરકનું સર્વજ્ઞકથિત યથાર્થ સ્વરૂપ સમજાવ્યું. જેનાથી બન્નેને ઘણો જ સંતોષ થયો. ત્યારબાદ દેવલોકમાં ગયેલી તેની માતાએ તેમને સ્વપ્નમાં દેવનું સુખ અને સ્વરૂપ બતાવ્યું. પુષ્પચૂલે દર્શનશાસ્ત્રીઓને બોલાવીને દેવનું સ્વરૂપ પુછ્યું. પરંતુ પુષ્પચૂલને તેઓના ઉત્તરથી સંતોષ ન થતાં અર્ણિકાપુત્ર આચાર્યને પુછ્યું. તેઓનો ઉત્તર સાંભળી પુષ્પચૂલને ઘણો જ સંતોષ થયો. અને પુષ્પચૂલાને વૈરાગ્ય થયો. તેણીને પોતાના અકાર્યનો ઘણો પસ્તાવો થયો. વીતરાગપ્રણીત પ્રવ્રજ્યા સ્વીકારી આત્માકલ્યાણમાં લીન થઈ. એક વખત ભાવિમાં આવનારા બાર વર્ષે દુકાળને જાણીને આચાર્યશ્રીએ પોતાના શિષ્યોને સુભિક્ષાવાળા દેશમાં વિહાર કરાવ્યો. પોતે શરીરમાં જંઘાબળથી ક્ષીણ હોવાથી ત્યાં જ રહ્યા. પુષ્પચૂલા સાધ્વીજી મહારાજ પણ તેઓની સેવા-સુશ્રુષા કરવાની પરમપવિત્ર ભાવનાથી ત્યાં રહ્યાં. અને પોતાના સંસારિપર્યાયથી પરિચિત પુષ્પચૂલના અંતઃપુરમાંથી શુદ્ધ નિર્દોષ આહાર લાવી ઉત્તમભાવનાથી આચાર્યશ્રીની સેવાભક્તિવિનય બહુમાન કરે છે. એમ કરતાં વૈયાવચ્ચ કરવાની પરમ પવિત્ર ભાવનાથી તેઓ કેવલજ્ઞાની થયાં. કેવલી થવા છતાં ગુરુની સેવા-ભક્તિ પૂર્વની જેમ ચાલુ રાખી. એક વખત વરસતા વરસાદમાં કેવલજ્ઞાનથી અચિત્તભાગમાં ચાલીને આહાર લાવ્યાં, ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે આવું અઘટિત કાર્ય કેમ કર્યું ? પુષ્પચૂલા સાધ્વીજીએ યથાર્થ કેવલજ્ઞાનની વાત કરતાં આચાર્યશ્રી મનમાં ખેદ કરવા લાગ્યા કે મેં કેવલીની આશાતના કરી. ત્યારે સાધ્વીજીએ કહ્યું કે ખેદ ન કરો, તમને પણ નદી ઉતરતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org,
SR No.001187
Book TitleSamkitna Sadsath Bolni Sazzay
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Samyaktva
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy