SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) સમ્યકત્વવ્રતમાં દઢ રહેવા છતાં પરવ્યક્તિની પરવશતા આદિ કારણોસર અપવાદ સેવવા પડે તે આગાર કહેવાય છે. તેના છે ભેદો છે. (૧૧) જે ચિંતન-મનનથી અને વારંવાર વિચારણાથી સમ્યકત્વવ્રત વધારે મજબૂત થાય, અચલ થાય, વધારે સ્થિર થાય એવી વિચારણાને ભાવના કહેવાય છે. તેના છ ભેદો છે. (૧૨) જેનાથી પ્રાપ્ત થયેલું સમ્યકત્વવ્રત ટકે, સમ્યત્વને ટકવાની જે જગ્યા, તેને “સ્થાન” કહેવાય છે. તેના છ ભેદો છે. આ બાર અધિકાર (વિષયો) છે. તે બાર અધિકારોને સમજાવતી બાર ઢાળો આ સઝાયમાં જુદા જુદા રાગવાળી બનાવવામાં આવી છે. હવે તે બારે ઢાળોમાં ક્રમશઃ એક-એક વિષય સમજાવાય છે. આ ૬૭ ભેદોનો તાત્ત્વિક વિચાર કરવાથી આ જીવ ભવસમુદ્રનો પાર પામે છે. જે આદરવા જેવા-ઉપાદેય ભેદો છે તેને આચરવાથી, અને જે ત્યજવા લાયક ભેદો છે તેને ત્યજવાથી સમ્યક્તની શુદ્ધિ થાય છે તેથી આ ૬૭ ભેદોનો તત્ત્વભૂત અર્થ વિચારવા જેવો છે. જાણવા જેવો છે. || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001187
Book TitleSamkitna Sadsath Bolni Sazzay
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Samyaktva
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy