SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ (૧) વીતરાગ પરમાત્મા ઉપર, તેમની આજ્ઞાનુસાર ચાલનાર ધર્મગુરુઓ ઉપર અને વીતરાગ પ્રણીત ધર્મ ઉપર પરમરુચિ, અતિશય વિશ્વાસ “કિર્દિ પુનત્ત તમેવ સર્ચ” “તે જ સાચું છે” એવો અડગ પ્રેમ તે શ્રદ્ધા, તેના ૪ ભેદ છે. (૨) આત્મામાં પ્રગટ થયેલું સમ્યકત્વ જેનાથી જણાય, સમ્યકત્વને જણાવનારાં જે બાહ્યચિહ્નો, બાહ્મનિશાનીઓ તે લિંગ કહેવાય છે. તેના ૩ ભેદ છે. (૩) તીર્થંકર-પરમાત્મા આદિ ઉપકારી પુરુષો પ્રત્યે વિશેષ નમ્ર સ્વભાવ, ત વિનય કહેવાય છે. તેના ૧૨ ભેદ છે. (૪) અંદર પ્રગટ થયેલા સમ્યકત્વના કારણે મન-વચન અને કાયાની જે પવિત્રતા, નિર્મળ વિચારો, હિતકારી ભાષા, અને સદાચારી જીવન આદિને શુદ્ધિ કહેવાય છે. તેના ૩ ભેદ છે. (૫) આત્મામાં ઉત્પન્ન થયેલું સમ્યકત્વ જેનાથી દૂષિત થાય, કલંકિત થાય, મેલું થાય, અતિચારવાળું બને તેને “દૂષણ” કહેવાય છે. (૬) બીજા લોકો પણ જૈન ધર્મ પામે એવાં ઉત્તમ કાર્યો કરનાર, જૈન શાસનની પ્રભાવના થાય એવાં કાર્યો કરનાર, તેમને “પ્રભાવક” કહેવાય છે. તેના આઠ ભેદો છે. (૭) આત્માની અંદર પ્રાપ્ત થયેલું સમ્યક્ત જેનાથી શોભે, દીપે, ઝળકે એવાં આભૂષણોને “ભૂષણ” કહેવાય છે. તેના પ ભેદ છે. (૮) આત્માની અંદર ઉત્પન્ન થયેલું સમ્યકત્વ જેનાથી જણાય, અનુમાન કરાય એવી જે આન્તરિક નિશાની તે લક્ષણ કહેવાય છે. સમ્યત્વપ્રાપ્તિની જે બાહ્ય નિશાની-ચિહ્ન તે લિંગ કહેવાય. અને જે આન્તરિક નિશાની-ચિહ્ન તે લક્ષણ કહેવાય છે. (૯) આવેલું સમ્યકત્વ જેનાથી જળવાય, સચવાય, તે જયણા કહેવાય છે. સમ્યકત્વને સાચવવામાં વાડ જેવા જે નિયમો તે જયણા કહેવાય છે. તેના છ ભેદ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001187
Book TitleSamkitna Sadsath Bolni Sazzay
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Samyaktva
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy