SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૪૨ अवराहेऽवि महंते, कोहाणुदओ वियाहि ओवसमो । (૧) ઉપશમ-સમભાવ, રાગ-દ્વેષ રહિત મનોવૃત્તિ, પોતાના અપરાધ કરનારાનું પણ કાયાથી કે વચનથી તો અહિત ન જ આચરે પરંતુ મનથી પણ તેનું અહિત ન વિચારે, તે જ રીતે જૈનશાસનનું કોઈ અહિત કરે તો પણ તેનું અહિત ન વિચારે, પરંતુ તેના ઉપર ભાવકરુણા માત્ર કરે તે ઉપશમ તથા પોતાનો કે શાસનનો કે પોતાના પરિવારનો અપરાધી આત્મા સ્વયં પોતાના કર્મથી જો દુઃખી-દરિદ્રી થાય તો પણ રાજી ન થાય. પરંતુ મધ્યસ્થ રહે. મનને જરા પણ કલુષિત ન કરે. તે ઉપશમ લક્ષણ કહેવાય છે. આ લક્ષણ ઉપર “મેતારજ” ઋષિની કથા પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે સાકેતપુર નામના નગરમાં ચંદ્રાવતેસ નામનો રાજા હતો. તે રાજાને સુદર્શન અને પ્રિયદર્શના નામની બે પત્નીઓ હતી. તે બન્ને પત્નીઓને બે બે પુત્રો હતા. સુદર્શનાને સાગરચંદ્ર અને મુનિચંદ્ર નામના બે પુત્રો હતા. અને પ્રિયદર્શનાને શ્રીબાલચંદ્ર અને ગુણચંદ્ર નામના બે પુત્રો હતા. બધા જ પુત્રો મોટા થતાં રાજાએ સાગરચંદ્રને યુવરાજપદ આપ્યું. અને મુનિચંદ્રને ઉજ્જૈણીનગરીનું રાજ્ય આપ્યું. રાજા આ રીતે પોતાના ઉપરનો રાજ્યનો ભાર ઓછો કરી ધર્મકાર્યમાં સ્થિર થયા. એક વખત હેમંત ઋતુ આવી ત્યારે ધર્મની રુચિવાળા ચંદ્રાવતંસ રાજાએ પોતાના ઘરના એક ભાગમાં પ્રકાશ આપતા દીવાને જોઈને “આ દીપક જલે ત્યાં સુધી મારે કાયોત્સર્ગમાં રહેવું.” એવું પ્રણિધાન કરીને કાયોત્સર્ગની પ્રતિમામાં રહ્યા. અંધકાર થશે તો રાજાને કાયોત્સર્ગમાં કોઈ વિક્ષેપ કદાચ થશે એમ સમજી શવ્યાપાલકે દીવામાં તેલ પૂરવાનું ચાલુ રાખ્યું. દીપક જેમ જેમ જલતો રહ્યો. તેમ તેમ બહારના પદાર્થો જેમ પ્રકાશિત થયા. તેમ રાજાનો અંદરનો અજ્ઞાન અને મોહરૂપી અંધકાર પણ સમભાવની જ્યોત વડે નાશ પામ્યો. પ્રભાત થતાં તેલ પૂરવાનું કામ બંધ થતાં બહારનો દીપક બુઝાયો. તે જ વખતે રાજાએ કાયોત્સર્ગ પાળ્યો. આખી રાત ઉભા રહેવાથી પગ જકડાઇ જવાથી છેદાયેલા વૃક્ષની જેમ રાજા ભૂમિ ઉપર પડી ગયો. પંચપરમેષ્ટિને નમસ્કાર કરતો તે રાજા ત્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001187
Book TitleSamkitna Sadsath Bolni Sazzay
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Samyaktva
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy