SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ઝોટા તકો એક તર્કવાદી પંડિત હતો. તે દરેક વાતમાં તર્ક કર્યા કરે. કોઈની વાત માને નહીં. જ એકવાર તે ચાલ્યો આવતો હતો. ત્યારે સામેથી એક હાથી આવ્યો. ઉપર મહાવત બેઠેલો હતો. પણ હાથી મસ્તીએ ચઢેલો હતો અને મહાવતના કાબુમાં રહેતો ન હતો. આથી મહાવતે બૂમ મારી કે ઓ ભાઈ દૂર ભાગી જાવ. નહીં તો આ તોફની હાથી તમને મારી નાંખશે. ન આ તો પંડિત એ કંઈ એક અભણ મહાવતની વાત એમ ને એમ થોડી જ માની લે ! તેણે પોતાની ટેવ પ્રમાણે તર્ક કરીને કહ્યું : કે અલ્યા મહાવત ! હાથી અડીને મારશે કે અડ્યા વિના મારશે ! જો હાથી અડીને મારતો હોય તો તું અડીને રહ્યો છે. છતાં કેમ મરી ગયો નથી ! અને આ હાથી અડ્યા વિના મારતો હોય તો હું ગમે તેટલો દૂર ભાગું તો યે શું ! માટે તારી વાત ખોટી છે ! એ તર્કવાદી રસ્તામાંથી દૂર ખસ્યો દર કથાની યારી લાગે પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy