SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ મા૨ા મીંજા વાd | માનવી જમ્યો એ સમયે જ વાર્તાનો જન્મ થયો હશે. વેદકાળમાં રાજા પુરુરવા વિશેની વાર્તા પ્રચલિત હતી. વાર્તા સાંભળવી સૌને ગમે છે. ફકત બાળકોને જ નહિ પણ યુવાનો અને વૃદ્ધોને પણ વાર્તા વાંચવી કે સાંભળવી ગમે છે. તે બાળકો માટે તો કહી શકાય કે વાર્તા વાંચવી એ એમનો જન્મ સિદ્ધ અધિકાર છે. વાત સાંભળતાં કે વાંચતાં બાળકોના મોમાં માતાના દૂધ જેવી મિઠાશ આવે છે. | મુનિ શ્રી રાજપાલવિજયજી મહારાજ બાળ વાર્તાઓનો સંગ્રહ લઈને બાળકો સમક્ષ હાજર થયા છે. એ વાર્તા વાંચતાં બાળકોને જ્ઞાન મળજો, એમને આનંદ થશે, અને એમનામાં સદ્ગણોનો વિકાસ થશે. એ વાર્તાઓ કુટુંબના વડીલો વાંચશે તો વાર્તાને બરાબર યાદ રાખીને અનેક વ્યક્તિઓને કહેશે. જેથી એ વાત લખવા પાછળનો શુભ આશય તેઓ જાણી શકશે. - આ વાર્તાઓ મમતાળુ માના દુધ જેટલી ગુણકારી અને અમૂલ્ય છે. આ સંગ્રહમાંની ‘‘પુતળીઓ’’ વાચનારને થશે કે આપણે સંયમી અને સંસ્કારી બનવું જોઈએ. ‘‘ઠગ'' વાર્તા, ઠગ વિદ્યાનો જાણકાર દુર્ગુણી માનવીનો પરિચય કરાવે છે. એ વાર્તા વાંચીને બાળક નિર્ણય કરશે કે આ ઠગ જેવો હું કદિ બનીશ નહી. કે લોકમાન્ય તિલકના જીવનમાં બનેલ પ્રસંગ વાંચનાર કે ન્યૂયોર્કના મેયર દંડ ચૂકવે છે એ જાણીને વાચક વિચારશે કે હું પણ સત્યપ્રિય બનીશ અને જીવનમાં સત્યનું આચરણ કરીશ. | મુનિ શ્રી રાજપાલ વિજયજી મહારાજે આવી સુંદર વાર્તાઓ સમાજને આપીને સમાજ પર ઉપકાર કર્યો છે. 1 - પ્રોફેસર હસમુખ શેઠ (એમ. એ.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy