SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ વચનો સાંભળી આ કાર્ય પરિણામે ફલદાયક છે એમ જાણી મુનિએ તેમને બીજા દિવસે આવવાનું કહ્યું. | રાત્રે મુનિએ શ્રી ભક્તામર સ્તોત્રના ૧૫મા શ્લોકની આરાધના વડે શાસન દેવીને બોલાવી અને રાજાના આ દુઃખનો ઉપાય પૂછયો. ત્યારે દેવીએ કહ્યું કે આ જ ૧૫માં શ્લોકનું ચિંતવન કરી આ રાખની ચપટીથી રાજાના કપાળમાં ચાંદલો કરજો એટલે રાજા તે દુઃખથી મુકત થશે. ' બીજે દિવસે રાજા-મંત્રી વગેરે નગરજનો સૌ મુનિ પાસે આવ્યા. મુનિએ રાખનીં ચપટી ભરી ૧૫મા શ્લોકનું ચિંતવન કરી રાજાના કપાળમાં તિલક કર્યું કે તરત જ રાજાને શાંતિ થઈ ગઈ. રાજાએ હર્ષવિભોર બનીને જૈન ધર્મની ખૂબ જ પ્રશંસા કરી. આ ચમત્કારથી નગરજનો આશ્ચર્ય પામ્યા. રાજા પ્રજા સૌને જૈનધર્મ ઉપર શ્રદ્ધા થઈ. સૌ મુનિને વંદન કરી નગરમાં પાછા ફર્યા. કહેવું સૌને ગમે છે, પણ સાંભળવું) કોઈને ગામતું નથી. કડક શબ્દો બોલવા (ામે છે પણ સાંભળવવા ગમતાં નથી.)) ૧૪૬ કથાની યારી | લાપો પ્યારી Jain Education International Far Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy