SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ તો કડક સમીક્ષાથી જ થઈ શકે. આજે તો મુદ્રિત સંપાદનોમાંથી પાઠાંતરો જ કાઢી નાખવામાં આવે છે. એનું કારણ એ સંપાદનો કેવળ ગાઈડો રૂપે વિદ્યાર્થીઓ પાસે જાય છે એ છે. હસ્તપ્રતોમાં સચવાયેલી અપ્રગટ કૃતિઓનાં સંપાદનો બધાં જ સામયિકો કરે એ જરૂરી નથી. ‘અનુસંધાન' જેવું સામયિક આવું કામ કરી શકે. કનુભાઈ જાની સંશોધકો બે પ્રકારના હોય. ૧. જેમને વાંચતાંવાંચતાં સંશોધન સૂઝયું છે. ૨. કેટલાકને એ સુઝાડવું પડે. Gener and gendreril 481 491 80. Gener and gendre vary with context. બહેનો ગાય તો જેન્ડરની સાથે એકરૂપ હોય, પુરુષ ગાય તો બીજું રૂપ હોય. અધ્યાપકીય સજ્જતામાં આવાં કામોની અનિવાર્યતા ગણાવી જોઈએ. અધ્યાપક સંઘે પણ આ બાબતની નોંધ લેવી જોઈએ. શાંતિલાલ આચાર્ય અહીં જે ચર્ચાઓ સાંભળી એનો સૂર એ છે કે આ ક્ષેત્રના અવ્યવસ્થિતપણામાંથી વ્યવસ્થિતપણામાં આવવું જોઈએ. એ માટે સજ્જતા જોઈશે એ તો પછીની વાત. પણ એ પહેલાં એની ‘લ્યુ પ્રિન્ટ' આપણી પાસે હોવી જોઈએ: “પછેડી પ્રમાણે સોડ તણાય.” આપણી પાસે એવી પછેડી છે ? જે મંડળ આપણે રચવા માગીએ છીએ એ મંડળે આનો વિચાર કરવો જોઈએ. યુનિ.ઓએ આ કરવું જોઈએ - તે કરવું જોઈએ એવી વાતો થઈ. પણ યુનિ.ઓ જો કરી શકતી હોત તો એણે આ કર્યું ન હોત ? એકલે હાથે મોહનલાલ કે જયંતભાઈ જેવા કરે એ જ યુનિવર્સિટી છે. હસ્તપ્રતો ક્યાં પડી છે એ માહિતી મેળવવી જોઈએ. આ અંગે પૈસાની જોગવાઈ પણ કરવી પડે. કઈ સામગ્રી - કઈ હસ્તપ્રતો કયા હેતુસર છાપવી છે એ નક્કી કરવું જોઈએ. તાલીમ આપવા માટેની એક પુસ્તિકા પણ તૈયાર કરવી જોઈએ. પછી જ આમાં આગળ વધવું જોઈએ. દરેક સેમિનારમાં હવે આપણે લાગી પડવું જોઈએ' એમ કહેવાય છે પણ કામ આગળ વધતું નથી. નરોત્તમ પલાણ હસ્તપ્રતો અનેક સ્થળે, ખૂણેખાંચરે પડેલી છે અને એ બધી એકત્ર કરવી જોઈએ. પોરબંદરના દફતરભંડારમાં પ૦૦ પોટલાં છે. જૂનાગઢમાં જે પોટલાં છે તેની એક સૂચિ કિશનસિંહ ચાવડાના પુત્ર વિજયસિંહે બનાવી છે. નિરંજન રાજ્યગુરુએ ૬૦૦૦થી વધુ ભજનો એકત્ર કર્યા છે. મોરબી પાસેના કેશિયા ગામના સાધુએ અમને ૮ હસ્તપ્રતો મોકલાવી હતી. એ પ્રતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001184
Book TitleEk Abhivadan Occhav Ek Goshthi
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy