SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ મુદ્દાઓની જ રજૂઆત કરવા વિનંતી કરાઈ હતી. ચર્ચામાં નીચેના વિદ્વાનોએ ભાગ લીધો હતો. ડૉ. બળવંત જાની, ડૉ. રમણલાલ પાઠક, ડૉ. અરુણોદય જાની, ડૉ. કે. આર. ચંદ્રા, ડૉ. રમણ સોની, ડો. કનુભાઈ જાની, ડૉ. શાન્તિલાલ આચાર્ય, પ્રા. નરોત્તમ પલાણ, શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિક અને શ્રી હર્ષદ ત્રિવેદી, [ખુલ્લી ચર્ચાનાં વક્તવ્યો માટે જુઓ આ પુસ્તિકાનાં પૃ. ૬૬થી ૭૧] પ્રતિભાવ અને તારણ : શ્રી જયંત કોઠારી : આ વિદ્વાનો દ્વારા થયેલી પ્રારંભિક અને ખુલ્લી ચર્ચાનાં તારણો અને તે પરના પોતાના પ્રતિભાવો અધ્યક્ષસ્થાનેથી પ્રા. જયંતભાઈ કોઠારીએ રજૂ કર્યા હતાં. આ ચર્ચાને અનુષંગે હવે આપણે સૌએ શું કરવું જોઈએ એ અંગે એમણે કેટલાંક જરૂરી સૂચનો પણ કર્યાં હતાં. [ચર્ચાનાં તારણો રજૂ કરતા શ્રી જયંતભાઈના અધ્યક્ષીય વક્તવ્ય માટે જુઓ આ પુસ્તિકાનાં પૃ. ૭૦થી, ૭૧.] સમાપન : આ. શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી : તે પછી પૂજ્ય આ.શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજીએ પોતાના સમાપન-વક્તવ્યમાં જૂની હસ્તપ્રતોનાં સંશોધન-સંપાદનની આ દિશામાં કામ કરનારાઓને પૂરતી સગવડો મળી રહેવાની બાંહેધરી આપી. આ દિશામાં રસ લેનારાઓની બીજી બેઠક પોતાને ત્યાં કરવા માટે સૌરાષ્ટ્ર યુનિ.ના ડૉ. બળવંત જાનીએ નિમંત્રણ આપ્યું હતું. સંસ્થા વતીથી શ્રી નટુભાઈ શાહે કરેલી આભારવિધિ સાથે આજના આ સમારોહની બીજી બેઠક સમાપ્ત થઈ હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001184
Book TitleEk Abhivadan Occhav Ek Goshthi
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy