SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ બહુમાન : આ પહેલી બેઠકમાં, ગ્રંથવિમોચક વિદ્વદ્વર્ય શ્રી કેશવરામ કા. શાસ્ત્રીજી, અતિથિવિશેષો કવિશ્રી સુરેશ દલાલ અને શ્રી જયસુખભાઈ મો. દેશાઈ, ડૉ. રમણલાલ ચી. શાહ તથા “જૈન ગૂર્જર કવિઓ' (ભા.૧-૧૦)ની સંવર્ધિત આવૃત્તિના સંપાદક શ્રી જયંતભાઈ કોઠારી – આ પાંચ મહાનુભાવોનું આંબાવાડી સંઘના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત વડોદરાથી પધારેલા સંગીતકાર શ્રી જયદેવભાઈ ભોજક અને પ્રભાતભાઈ ભોજકનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સંચાલન : પહેલી બેઠકના સમગ્ર કાર્યક્રમનું સંચાલન સફળતાપૂર્વક શ્રી દીપકભાઈ બારડોલીવાલાએ કર્યું હતું. બીજી બેઠક : “ગોષ્ઠિ' : ભોજન બાદ બપોરના ૨-૦૦ વાગ્યે આજના કાર્યક્રમની બીજી બેઠક ‘ગોષ્ઠિાનો પ્રારંભ થયો હતો. ગોષ્ઠિનો વિષય હતો : “મધ્યકાલીન ગુજરાતી સાહિત્યવારસાના જતન અને પ્રકાશનના પ્રશ્નો.” એમાં અમદાવાદ, ગાંધીનગર, વલ્લભવિદ્યાનગર, વડનગર, વડોદરા, બીલીમોરા, મુંબઈ, ભુજ, રાજકોટ, ઘોઘાવદર, પોરબંદર, ભાવનગર વગેરે વિવિધ સ્થળોના સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતીના વિદ્વાનોએ ભાગ લીધો હતો. આ બેઠક પૂજ્ય આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજીની નિશ્રામાં અને શ્રી જયંતિભાઈ કોઠારીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. પૂજ્ય મહારાજશ્રીના મંગળાચરણ બાદ શ્રી જયદેવભાઈ ભોજક અને સાથીદારોએ બાગેશ્રી રાગમાં અનંતરાય ઠક્કર (શાહબાઝ) રચિત “તુજ વિણાની દિવ્ય બ્રહ્મ મીંડ જ્યાં બજી રહી, બ્રહ્મની પ્રથમ ઉષા જગત પરે ઊગી રહી” એ પંક્તિઓથી આરંભાતું સરસ્વતીગાન રજૂ કર્યું હતું. વિદ્વત્પરિચય : તે પછી પૂજ્ય આ.શ્રી પ્રદ્યુમ્નસૂરિજીની ઈચ્છાથી સૌ ઉપસ્થિત વિદ્વાનોએ સંક્ષેપમાં સ્વપરિચય આપ્યો હતો. આ બેઠકનું સંચાલન સમારોહ-સંયોજકો કાન્તિભાઈ બી. શાહ અને કીર્તિદા જોશીએ કર્યું હતું. પ્રસ્તાવના : કાન્તિભાઈ શાહ : પ્રાસ્તાવિક વક્તવ્યમાં કાન્તિભાઈ શાહે જણાવ્યું કે ‘પૂ. મહારાજશ્રીની ઇચ્છા આજના આ સમારોહને ઓચ્છવ રૂપે મનાવવાની હતી, તો ઘણા સમયથી, જયંતભાઈની ઇચ્છા આવા પ્રસંગને નિમિત્તે ગોષ્ઠિનું આયોજન કરવાની હતી. પહેલી બેઠકમાં પૂજ્ય મહારાજશ્રીનો અભિલાષ ફળ તો આપણે નિહાળ્યો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001184
Book TitleEk Abhivadan Occhav Ek Goshthi
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy