SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમકર્મગ્રન્યપરિશીલન ૨૧ પોતાની મહત્ત્વાકાંક્ષા એક રીતે છોડી દેવી પડે છે. આ જન્મમાં નહિ તો આગલા જન્મમાં, પરંતુ હું મારો ઉદ્દેશ્ય અવય સિદ્ધ કરીશ - આ ભાવના મનુષ્યના હૃદયમાં જેટલું બળ પ્રગટાવી શકે છે તેટલું બળ બીજી કોઈ ભાવના પ્રગટાવી શકતી નથી. એ પણ નહિ કહી શકાય કે ઉક્ત ભાવના મિથ્યા છે, કેમ કે તેનો આવિર્ભાવ નૈસર્ગિક અને સર્વવિદિત છે. વિકાસવાદ ભલે ને ભૌતિક રચનાઓને જોઈને જડ તત્ત્વો પર ખડો કરવામાં આવ્યો હોય પરંતુ તેનો વિષય ચેતન પણ બની શકે છે. આ બધી વાતો ઉપર ધ્યાન દેવાથી એ માન્યા વિના સન્તોષ થતો નથી કે ચેતન એક સ્વતંત્ર તત્ત્વ છે. જાણતાં કે અજાણતાં જે સારા કે ખરાબ કર્મ કરે છે તેને તે કર્મનું ફળ ભોગવવું જ પડે છે ને એ માટે તેને પુનર્જન્મના ચક્કરમાં ઘૂમવું પડે છે. બુદ્ધ ભગવાને પુનર્જન્મ માન્યો છે. પાકા નિરીશ્વરવાદી જર્મન પંડિત નિત્યે ર્મચક્રત પુનર્જન્મને માને છે. આ પુનર્જન્મનો સ્વીકાર આત્માના સ્વતન્ત્ર અસ્તિત્વને માનવા માટે પ્રબળ પ્રમાણ છે. (10) કર્મતત્ત્વના વિષયમાં જૈનદર્શનની વિરોષતા જૈનદર્શનમાં પ્રત્યેક કર્મની બધ્યમાન, સત્ અને ઉદયમાન એ ત્રણ અવસ્થાઓ માનવામાં આવી છે. તેમને ક્રમશઃ બન્ધ, સત્તા અને ઉદય કહે છે. જેનેતર દર્શનોમાં પણ કર્મની તે અવસ્થાઓનું વર્ણન છે. તે દર્શનોમાં બધ્યમાન કર્મને “ક્રિયમાણ’, સત્કર્મને સંચિત’ અને ઉદયમાન કર્મને ‘પ્રારબ્ધ’ કહ્યાં છે. પરંતુ જેનશાસ્ત્રમાં જ્ઞાનાવરણીય આદિ રૂપે કર્મનું 8 તથા 148 ભેદોમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે અને તે ભેદો દ્વારા સંસારી આત્માની અનુભવસિદ્ધ ભિન્ન ભિન્ન અવસ્થાઓનો જેવો ખુલાસો કરવામાં આવ્યો છે તેવો કોઈ પણ જેનેતર દર્શનમાં નથી. પાતંજલ દર્શનમાં કર્મના જાતિ, આયુ અને ભોગ એ ત્રણ જાતના વિપાક દર્શાવવામાં આવ્યા છે, પરંતુ જૈનદર્શનમાં કર્મ અંગે કરવામાં આવેલા વિચારની આગળ આ વર્ણન નામ માત્રનું છે આત્માની સાથે કર્મનો બન્ધ કેવી રીતે થાય છે ? ક્યાં ક્યાં કારણોથી થાય છે? ક્યા કારણથી કર્મમાં કેવી શક્તિ પેદા થાય છે ? વધુમાં વધુ અને ઓછામાં ઓછા કેટલા સમય સુધી કર્મ આત્માને લાગેલું રહી શકે છે ? આત્માને લાગેલું કર્મ કેટલા સમય સુધી વિપાક દેવામાં અસમર્થ છે ? વિપાકનો નિયત સમય પણ બદલી શકાય છે કે નહિ? જો બદલી શકાય છે તો તેના માટે કેવા આત્મપરિણામો આવશ્યક છે ? એક કર્મ અન્ય કર્મરૂપ ક્યારે બની શકે છે ? કર્મની બધકાલીન તીવ્રમન્દ શક્તિઓ કેવી રીતે બદલી શકાય છે ? પછીથી વિપાક દેનાર કર્મને વહેલા જ જ્યારે અને કેવી રીતે ભોગવી શકાય છે ? કર્મ ગમે તેટલું બળવાન કેમ ન હોય, પરંતુ તેના વિપાકને શુદ્ધ આત્મિક પરિણામોથી કેવી રીતે રોકી દેવામાં આવે છે ? ક્યારેક ક્યારેક આત્માના સેંકડો પ્રયત્નો છતાં પણ કર્મ પોતાના વિપાકને ભોગવાવ્યા વિના છૂટતું નથી, કેમ ? આત્મા કેવી રીતે કર્મનો કર્તા છે અને કેવી રીતે કર્મનો ભોક્તા છે ? આટલું હોવા છતાં પણ વસ્તુતઃ આત્મામાં કર્મનું કર્તૃત્વ અને ભાતૃત્વ કેવી રીતે નથી? સંક્લેરારૂપ પરિણામ પોતાની આકર્ષણશક્તિથી આત્મા ઉપર એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001176
Book TitlePanchkarmagranthparishilan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, Principle, & Karm Theory
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy