SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૦૮ પંચકર્મગ્રન્યપરિશીલન ચોથો કર્મગ્રન્થ તથા પંચસંગ્રહ જવસ્થાનોમાં યોગનો વિચાર પંચસંગ્રહમાં પણ છે (પૃ. 15,નોધ). અપર્યાપ્ત જીવસ્થાનના યોગો અંગેનો મતભેદ જે આ કર્મગ્રન્થમાં છે તે પંચસંગ્રહની ટીકામાં વિસ્તારપૂર્વક છે (પૃ. 16). જવસ્થાનોમાં ઉપયોગોનો વિચાર પંચસંગ્રહમાં પણ છે (પૃ. 20, નોધ). કર્મગ્રન્યારે વિભંગશાનમાં બે જીવસ્થાનોનો અને પંચસંગ્રહકારે એક જીવસ્થાનનો ઉલ્લેખ કર્યો છે (પૂ. 68, નોધ). અપર્યાપ્ત અવસ્થામાં પથમિક સમ્યકત્વ પ્રાપ્ત થઈ શકે છે એ વાત પંચસંગ્રહમાં પણ છે (પૃ. 70, નોધ). પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધારે હોવાનું વર્ણન પંચસંગ્રહમાં છે (પૃ. 125, નોધ). પંચસંગ્રહમાં પણ ગુણસ્થાનોને લઈને યોગોનો વિચાર છે (પૃ. 163, નોધ). ગુણસ્થાનમાં ઉપયોગનું વર્ણન પંચસંગ્રહમાં છે (પૃ. 167, નોધ). બન્ધહેતુઓના ઉત્તર ભેદનો તથા ગુણસ્થાનોમાં મૂલ બંધહેતુઓનો વિચાર પંચ સંગ્રહમાં છે (પૃ. 175, નોધ). સામાન્ય તથા વિરોષ બન્ધહેતુઓનું વર્ણન પંચસંગ્રહમાં વિસ્તારથી કરવામાં આવ્યું છે (પૃ. 181, નોંધ). ગુણસ્થાનોમાં બન્ધ, ઉદય આદિનો વિચાર પંચ સંગ્રહમાં છે (પૃ. 187, નોધ). ગુણસ્થાનોમાં અલ્પ-બહુત્વનો વિચાર પંચસંગ્રહમાં છે (પૃ. 192, નોધ). કર્મના ભાવ પંચસંગ્રહમાં છે (૫. 204, નોધ). ઉત્તર પ્રકૃતિઓના મૂલ બન્ધહેતુઓનો વિચાર કર્મગ્રન્ય અને પંચસંગ્રહમાં ભિન્ન ભિન્ન શિલીનો છે. (પૃ. 227) એક જીવાશ્રિત ભાવોની સંખ્યા મૂલ કર્મગ્રન્થ અને મૂલ પંચસંગ્રહમાં ભિન્ન નથી પરંતુ બન્નેની વ્યાખ્યાઓમાં જોવા જેવો થોડોક વિચારભેદ છે (પૃ. 229). ચોથા કર્મગ્રન્થનાં કેટલાંક વિશેષ સ્થલ જીવસ્થાન, માર્ગણાસ્થાન અને ગુણસ્થાનનું પારસ્પરિક અન્તર (પૃ. 5). પરભવનું આયુષ્ય બાંધવાનો સમયવિભાગ અધિકારીભેદ અનુસાર કેવા કેવા પ્રકારનો છે ? તેનો ખુલાસો (પૃ. 25, નોધ). ઉદીરણા કેવા પ્રકારના કર્મની થાય છે અને તે ક્યાં સુધી થઈ શકે છે? આ વિષયનો નિયમ (પૃ. 26, નોધ). દ્રવ્યલેયાના સ્વરૂપ બાબતે કેટલા પક્ષો છે? તે બધાનો આશય શું છે? ભાવલેરયા શી વસ્તુ છે અને મહાભારતમાં, યોગદર્શનમાં તથા ગોપાલકના મતમાં લેયાના સ્થાને કેવી કલ્પના છે ? ઇત્યાદિનો વિચાર (પૃ. 33). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001176
Book TitlePanchkarmagranthparishilan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, Principle, & Karm Theory
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy