SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાપના દેBCCCCCCCC US GU GUJ US OUS COS તેમાં સંખ્યાતમો ભાગ અને સંખ્યાતગુણ, આ બે પ્રકાર ન્યૂનાધિકતા થાય છે. અસંખ્યાત પ્રદેશી ઔધની ત્રણ પ્રકારની અવગાહના:- (૧) અસંખ્યાતપ્રદેશી સ્કંધ એક આકાશપ્રદેશ પર સ્થિત થાય, તો તે એક આકાશપ્રદેશ તેની જઘન્ય અવગાહના છે. તેવા બધા સ્કંધોનું અવગાહન સ્થાન એક જ હોવાથી તે અવગાહનાની અપેક્ષાએ પરસ્પર તુલ્ય છે. (૨)અસંખ્યાતપ્રદેશી ઔધો અસંખ્યાત આકાશ પ્રદેશ પર સ્થિત થાય, તો તે અસંખ્યાત આકાશપ્રદેશ તેની ઉત્કૃષ્ટ અવગાહના છે. તેવા બધા સ્કંધોનું અવગાહના સ્થાન એક જ હોવાથી અવગાહનાની અપેક્ષાએ તે પરસ્પર તુલ્ય છે. (૩) અસંખ્યાત પ્રદેશી ઔધો બે આકાશ પ્રદેશથી લઈને અસંખ્યાત આકાશ પ્રદેશ પર સ્થિત થાય, તો તે મધ્યમ અવગાહના છે. તેના અવગાહના સ્થાન અસંખ્યાત હોવાથી તેમાં ચાર પ્રકારે જૂનાધિકતા થાય છે, તેથી તે મધ્યમ અવગાહનાવાળા અસંખ્યાત પ્રદેશ સ્કંધ પરસ્પર ચૌઠાણવડિયા છે. અનંતપ્રદેશી સ્કંધની ત્રણ પ્રકારની અવગાહના :- (૧) અનંતપ્રદેશી સ્કંધ એક આકાશપ્રદેશ પર સ્થિત હોય, તો તે એક આકાશપ્રદેશ તેની જઘન્ય અવગાહના છે. તે અવગાહનાથી પરસ્પર તુલ્ય છે. (૨) ઉત્કૃષ્ટ અવગાહનાવાળો અનંતપ્રદેશ સ્કંધ લોકવ્યાપી હોય છે. તે સ્કંધોની ઉત્કૃષ્ટ અવગાહના અસંખ્ય પ્રદેશાત્મક લોક પ્રમાણ છે, તેથી તે પરસ્પર તુલ્ય છે. (૩) અનંતપ્રદેશી ઔધ બે આકાશ પ્રદેશથી લઈને અસંખ્ય આકાશ પ્રદેશ પર સ્થિત હોય, તો તે તેની મધ્યમ અવગાહના છે. તેના અવગાહના સ્થાન અસંખ્ય હોવાથી તેમાં ચાર પ્રકારે ન્યૂનાધિકતા થાય છે, તેથી તે મધ્યમ અવગાહનાવાળા અનંતપ્રદેશી ઔધો પરસ્પર અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે. સ્થિતિની અપેક્ષાએ – પરમાણુથી અનંતપ્રદેશ સ્કંધની સ્થિતિ એક સમયથી લઈને અસંખ્યાતકાલ સુધીની હોય છે તેથી તે સર્વે સ્કંધો સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા હોય છે. તેમાં વિશેષતા એ છે કે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા અનંતપ્રદેશી અધો અસંખ્યપ્રદેશાવગાઢ અને લોકવ્યાપી હોય છે. તે સર્વેની સ્થિતિ એક સમયની હોવાથી તે સર્વે સ્થિતિની અપેક્ષાએ પરસ્પર તુલ્ય હોય છે. મધ્યમ અવગાહનાવાળા અનંતપ્રદેશ સ્કંધ સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા હીનાધિક હોય છે. વર્ણાદિની અપેક્ષાએ –એક પ્રદેશાવગાઢથી લઈને સંખ્યાત પ્રદેશાવગાઢ સુધીના આંધોમાં ચાર સ્પર્શ હોય છે. અસંખ્ય પ્રદેશાવગાઢ પુદ્ગલ સ્કંધમાં ચાર અથવા આઠ સ્પર્શ હોય છે. પરમાણુથી લઈને અસખ્યપ્રદેશી ઔધમાં ચાર સ્પર્શ હોય છે. સૂકમે અનંતપ્રદેશી સ્કંધમાં ચાર સ્પર્શ અને બાદર અનંતપ્રદેશી સ્કમાં આઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001174
Book TitlePhool Amra Stokalay
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati
PublisherGuru Pran Foundation Rajkot
Publication Year2005
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Canon, & Agam
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy