SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે. ર થ થ પપ | તે બધા ઔધો એક-એક આકાશપ્રદેશ પર સ્થિત હોય છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ઢિપ્રદેશી ઔધો પણ અવગાહનાથી તુલ્ય છે કારણ કે તે બધા સ્કંધો બે-બે આકાશપ્રદેશ પર સ્થિત છે. ઢિપ્રદેશી સ્કંધમાં મધ્યમ અવગાહના થતી નથી. ત્રિપદેશી ઔધની ત્રણ પ્રકારની અવગાહના :- (૧) ત્રણ પ્રદેશ સ્કંધ એક આકાશ પ્રદેશ પર સ્થિત હોય, તો તે એક આકાશપ્રદેશ તેની જઘન્ય અવગાહના છે. જઘન્ય અવગાહનાવાળા બધા સ્કંધો પરસ્પર તુલ્ય છે. યથા-૯૦૦ (૨) ત્રિપ્રદેશ સ્કંધ ત્રણ આકાશ પ્રદેશ પર સ્થિત હોય, તો તે ત્રણ આકાશપ્રદેશ તેની ઉત્કૃષ્ટ અવગાહના છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બધા સ્કંધો પરસ્પર તુલ્ય છે. યથા-[G\| | (૩) ત્રિપ્રદેશ સ્કંધ બે આકાશપ્રદેશ પર સ્થિત હોય, તો તે બે આકાશ પ્રદેશ તેની મધ્યમ અવગાહના છે. ત્રિપ્રદેશ સ્કંધમાં મધ્યમ અવગાહના એક જ પ્રકારની થાય છે. તેથી તેમાં ન્યૂનાધિકતા થતી નથી. તેમાં પણ પરસ્પર તુલ્યતા જ રહે છે. યથા-[ p\_| ચાર પ્રદેશી ઔધની ત્રણ પ્રકારની અવગાહનાઃ- (૧) ચાર પ્રદેશ સ્કંધ એક આકાશપ્રદેશ પર સ્થિત હોય, તો તે એક આકાશપ્રદેશ તેની જઘન્ય અવગાહના છે. તે બધા સ્કંધો અવગાહનાથી પરસ્પર તુલ્ય હોય છે. યથા–કરો (૨) ચારપ્રદેશી ઔધ ચાર આકાશપ્રદેશ પર સ્થિત હોય, તો ચાર આકાશ પ્રદેશ તેની ઉત્કૃષ્ટ અવગાહના છે. તે બધા ઔધો અવગાહનાથી પરસ્પર તુલ્ય હોય છે. યથા– Oિ| |_| | (૩) ચારપ્રદેશ સ્કંધ બે અથવા ત્રણ આકાશપ્રદેશ પર સ્થિત હોય, તો તે બે કે ત્રણ આકાશપ્રદેશ તેની મધ્યમ અવગાહના છે. યથા–| | | || | | જે સ્કંધ બે આકાશપ્રદેશ પર સ્થિત હોય છે તે ત્રણ આકાશપ્રદેશ પર સ્થિત સ્કંધથી એક પ્રદેશ હીન છે અને ત્રણ આકાશપ્રદેશ પર સ્થિત સ્કંધ, બે આકાશ પ્રદેશ પર સ્થિત સ્કંધથી એક પ્રદેશ અધિક છે. આ રીતે મધ્યમ અવગાહનાવાળા ચાર પ્રદેશી ઔધમાં અવગાહનાથી એક પ્રદેશની ચૂનાધિકતા થાય છે. પાંચ પ્રદેશ સ્કંધની ત્રણ પ્રકારની અવગાહનાઃ- (૧) પાંચે ય પ્રદેશો એક આકાશપ્રદેશ પર સ્થિત હોય, તો તે એક આકાશપ્રદેશ તેની જઘન્ય અવગાહના છે. તે બધા ઔધો અવગાહનાથી પરસ્પર તુલ્ય છે. યથા(૨) પાંચે ય પ્રદેશો પાંચ આકાશપ્રદેશ પર સ્થિત હોય, તો તે પાંચ આકાશપ્રદેશ તેની ઉત્કૃષ્ટ અવગાહના છે. યથા-e|o| |_| | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001174
Book TitlePhool Amra Stokalay
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati
PublisherGuru Pran Foundation Rajkot
Publication Year2005
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Canon, & Agam
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy