SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે ફિક કે ૩૧] ઉત્તર-જઘન્ય અવગાહનાવાળા પૃથ્વીકાયિક જીવોના અનંત પર્યાયો છે. જઘન્ય અવગાહનાવાળા એક પૃથ્વીકાય, જઘન્ય અવગાહનાવાળા બીજા પૃથ્વીકાયિક જીવોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય છે. અવગાહનાથી પણ તુલ્ય છે. સ્થિતિથી તિટ્ટાણવડિયા, વર્ણાદિ વીસબોલતથાબેઅજ્ઞાન અને અચક્ષુદર્શન, આત્રણ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા પૃથ્વીકાયિક જીવોના અનંત પર્યાયો પણ તે જ રીતે જાણવા. મધ્યમ અવગાહનાવાળા પૃથ્વીકાયિક જીવો અવગાહનાથી ચૌઠાણવડિયા છે, શેષ કથન પૂર્વવત્ જાણવું. જઘન્ય સ્થિતિવાળા પૃથ્વીકાયિક જીવોના અનંત પર્યાયો છે. જઘન્ય સ્થિતિવાળા એક પૃથ્વીકાયિક જીવ, જઘન્યસ્થિતિવાળા બીજા પૃથ્વીકાયિક જીવોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી ચૌઠાણડિયા, સ્થિતિથી તુલ્ય, વર્ણાદિ વીસ બોલ તથા ત્રણ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. તે જ રીતે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પૃથ્વીકાયિક જીવોના પર્યાયો જાણવા. તે જ રીતે મધ્યમ સ્થિતિવાળા પૃથ્વીકાયિક જીવોના પર્યાયો પણ જાણવા. તેમાં તફાવત એ છે કે મધ્યમ સ્થિતિવાળા પૃથ્વીકાયિક જીવો સ્થિતિથી તિટ્ટાણવડિયા છે. જઘન્ય ગુણકાળા વર્ણવાળા પૃથ્વીકાયિક જીવના અનંત પર્યાયો છે. જઘન્યગુણ કાળા વર્ણવાળા એક પૃથ્વીકાય, જઘન્યગુણ કાળા વર્ણવાળા બીજા પૃથ્વીકાયિક જીવોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી ચૌઠાણવડિયા, સ્થિતિથી તિટ્ટાણવડિયા, કાળા વર્ણથી તુલ્ય, શેષ વર્ણાદિ ૧૯ બોલ તથા ત્રણ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. તેજ રીતે ઉત્કૃષ્ટ ગુણ કાળા વર્ણવાળા પૃથ્વીકાયિકજીવોના અનંત પર્યાયો છે. તે જ રીતે મધ્યમ ગુણ કાળા વર્ણવાળા પૃથ્વીકાયિક જીવોના અનંત પર્યાયો છે, તેમાં કાળાવર્ણથી પણ છઠ્ઠાણવડિયા છે. આ રીતે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ શેષ ૧૯ બોલવાળા પૃથ્વીકાયિક જીવોના અનંત પર્યાયો થાય છે. જઘન્ય મતિ અજ્ઞાની પૃથ્વીકાયિક જીવોના અનંત પર્યાયો છે. જઘન્ય મતિ અજ્ઞાની એક પૃથ્વીકાય જીવ, જઘન્ય મતિ અજ્ઞાની બીજા પૃથ્વીકાયિક જીવોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી ચૌઠાણવડિયા, સ્થિતિથી તિટ્ટાણવડિયા, વર્ણાદિ વીસ બોલથી છઠ્ઠાણવડિયા, મતિ અજ્ઞાનથી તુલ્ય, શ્રુતઅજ્ઞાન અને અચક્ષુદર્શનથી છઠ્ઠાણવડિયા છે. તે જ રીતે ઉત્કૃષ્ટ મતિઅજ્ઞાની સ્થાવર જીવોના અનંત પર્યાયો જાણવા. તે જ રીતે મધ્યમ મતિઅજ્ઞાની પૃથ્વીકાયિક જીવોના અનંત પર્યાયો થાય છે, પરંતુ મધ્યમ મતિઅજ્ઞાની મતિઅજ્ઞાનીથી પણ છઠ્ઠાણવડિયા છે. આ જ રીતે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ શ્રુત અજ્ઞાન અને અચક્ષુદર્શનના પર્યાયો જાણવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001174
Book TitlePhool Amra Stokalay
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati
PublisherGuru Pran Foundation Rajkot
Publication Year2005
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Canon, & Agam
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy