SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે. ૨૭ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. મધ્યમસ્થિતિવાળા નૈયિકોના અનંત પર્યાયો છે- મધ્યમ સ્થિતિવાળા નારકીઓ દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય છે. અવગાહના અને સ્થિતિથી ચૌઠાણવિડિયા, વર્ણાદિ વીસ બોલ તથા નવ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. પ્રશ્ન-ર૯ઃ જઘન્યાદિ ગુણ કાળાવર્ણવાળા નૈરયિકોના કેટલા પર્યાય છે ? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા છે ? ઉત્તર–જઘન્ય ગુણ કાળા વર્ણવાળા નારકીઓના અનંત પર્યાય છે— જઘન્યગુણ કાળા વર્ણવાળા એક નારકી, જઘન્યગુણ કાળા વર્ણવાળા બીજા નારકીઓથી દ્રવ્યથી, પ્રદેશથી તુલ્ય છે. અવગાહના અને સ્થિતિથી ચૌઠાણવડિયા, કાળા વર્ણથી પરસ્પર તુલ્ય, શેષ વદિ ૧૯ બોલ તથા નવ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. તે જ રીતે ઉત્કૃષ્ટ કાળા વર્ણવાળા નૈરયિકોના અનંત પર્યાયો જાણવા. તે જ રીતે મધ્યમ કાળા વર્ણવાળા નૈયિકોના પણ અનંત પર્યાયો થાય છે, પરંતુ મધ્યમ કાળા વર્ણવાળા નૈરયિકો વર્ણાદિ ૨૦ બોલથી છઠ્ઠાણવડિયા છે. આ રીતે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ શેષ વર્ણાદિવાળા નારકીઓના અનંત-અનંત પર્યાયો થાય છે. પ્રશ્ન-૩૦: જઘન્યાદિ જ્ઞાન-દર્શનવાળા નૈરિયકોના કેટલા પર્યાયો છે ? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા છે ? ઉત્તર–જઘન્ય મતિજ્ઞાનવાળા નૈરયિકોના અનંત પર્યાયો છે— જઘન્ય મતિજ્ઞાની એક નારકી, જઘન્ય મતિજ્ઞાની બીજા નારકીઓથી દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય, અવગાહના અને સ્થિતિથી ચૌઠાણવડિયા, વર્ણાદિ વીસ બોલથી છઠ્ઠાણવડિયા, મતિજ્ઞાનથી પરસ્પર તુલ્ય, શેષ બે જ્ઞાન, ત્રણ દર્શન તે પાંચ ઉપયોગથી છઠ્ઠાણડિયા છે.(જે નારકીમાં જ્ઞાન હોય છે, તેને અજ્ઞાન હોતું નથી.) આ જ રીતે ઉત્કૃષ્ટ મતિજ્ઞાનવાળા નારકીઓના અનંત પર્યાયો જાણવા. મધ્યમ મતિજ્ઞાનવાળા નારકીઓના પણ અનંત પર્યાયો હોય છે, મધ્યમ મતિજ્ઞાનમાં અનંત પ્રકારની ન્યૂનાધિકતા સંભવિત છે તેથી ત્રણ જ્ઞાન, ત્રણ દર્શન, આ છ ઉપયોગથી છઠ્ઠાણવડિયા થાય છે. આ રીતે જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શનવાળા નારકીઓના અનંત-અનંત પર્યાયો થાય છે. જે નારકીઓમાં જ્ઞાન હોય તેને અજ્ઞાન નથી અને અજ્ઞાન હોય તેને જ્ઞાન નથી. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001174
Book TitlePhool Amra Stokalay
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati
PublisherGuru Pran Foundation Rajkot
Publication Year2005
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Canon, & Agam
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy