SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ | # # # # # # # # ફૂલ-આમ સ્તકાલય પ્રશ્ન-૨૮ઃ જઘન્યાદિ અવગાહનાવાળા નૈરયિકોના કેટલા પર્યાયો છે? તેમાં કેટલા પ્રકારે જૂનાધિકતા છે? ઉત્તર- જઘન્ય અવગાહનાવાળા નૈરયિકોના અનંત પર્યાયો છે– જઘન્ય અવગાહનાવાળો એકનારકી, જઘન્ય અવગાહનાવાળા બીજા નારકીઓથી દ્રવ્યથી, પ્રદેશથી તુલ્ય છે. અવગાહનાથી પણ જઘન્ય અવગાહનાવાળા સર્વ નૈરયિકો પરસ્પર તુલ્ય છે.(જઘન્ય કે ઉત્કૃષ્ટ અવગાહના કે સ્થિતિનું એક જ સ્થાન હોય છે તેથી તેમાં કોઈ પણ પ્રકારે ન્યુનાધિકતા થતી નથી.) જઘન્ય અવગાહનાવાળા નૈરયિકોની સ્થિતિમાં ન્યૂનાધિકતા હોય શકે છે, તેથી તે સ્થિતિથી ચૌઠાણવડિયા, વર્ણાદિ વીસ બોલથી તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, આ નવ ઉપયોગથી છટ્ટાણવડિયા છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નૈરયિકોના અનંત પર્યાયો છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકનારકી, ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બીજા નારકીઓથી, દ્રવ્યથી, પ્રદેશોથી તુલ્ય છે, અવગાહનાથી પણ તુલ્ય છે, સ્થિતિથી દુઠ્ઠાણવડિયા છે, (ઉત્કૃષ્ટ અવગાહના સાતમી નરકમાં હોય છે. ત્યાંની સ્થિતિ જઘન્ય રર સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ છે, તેથી ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નૈરયિકોમાં (૧) અસંખ્યાતમો ભાગ (૨) સંખ્યાતમો ભાગ, આ બે સ્થાનથી જ ન્યૂનાધિકતા થાય છે.) વર્ણાદિ વીસ બોલ તથા નવ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. મધ્યમ અવાગાહનાવાળા નૈરયિકોના અનંત પર્યાયો છે. તે દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહના અને સ્થિતિથી ચૌઠાણવડિયા, વર્ણાદિ વીસ બોલ તથા નવ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. પ્રશ્ન-૨૯ઃ જઘન્ય આદિ સ્થિતિવાળા નૈરયિકોના કેટલા પર્યાયો છે? તેમાં કેટલા પ્રકારે જૂનાધિકતા છે? ઉત્તર- જઘન્ય સ્થિતિવાળા નૈરયિકોના અનંત પર્યાયો છે– જઘન્ય સ્થિતિવાળા એકનારકી, જઘન્ય સ્થિતિવાળા બીજા નારકીઓથી દ્રવ્યથી, પ્રદેશથી તુલ્ય છે. અવગાહનાથી ચૌઠાણવડિયા છે, સ્થિતિથી પરસ્પર તુલ્ય છે, વર્ણાદિ વીસ બોલ તથા નવ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નૈરયિકોના અનંત પર્યાયો છે– ઉત્કૃષ્ટ સ્થિતિવાળા એક નારકી, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા બીજા નારકીઓથી દ્રવ્યથી, પ્રદેશથી તુલ્ય છે. અવગાહનાથી ચૌઠાણવડિયા, સ્થિતિથી તુલ્ય અને વર્ણાદિ ૨૦ બોલ તથા નવ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001174
Book TitlePhool Amra Stokalay
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati
PublisherGuru Pran Foundation Rajkot
Publication Year2005
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Canon, & Agam
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy