SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ ફૂલ–આ... સ્તકાલય મિથ્યાદષ્ટિ દેવો આહારના પુગલોને જાણતા કે દેખતા નથી પરંતુ આહાર કરે છે. અમાયી સમ્યગ્દષ્ટિ વૈમાનિક દેવોના બે પ્રકાર છે, અનંતરોત્પન્નક અને પરંપરાત્પન્નક. તેમાં અનંતરોત્પન્નકદેવો જાણતા-દેખતા નથી, પરંતુ આહાર કરે છે. પરંપરોત્પન્નકદેવોના બે પ્રકાર છે–પર્યાપ્ત અને અપર્યાપ્ત. તેમાંથી અપર્યાપ્તમાં વિશિષ્ટ અવધિજ્ઞાન ન હોવાથી જાણતા-દેખતા નથી, પરંતુ અહાર કરે છે. પર્યાપ્ત વૈમાનિક દેવોના બે પ્રકાર છે- ઉપયોગ સહિત અને ઉપયોગ રહિત. તેમાંથી ઉપયોગ રહિત દેવો જાણતા-દેખતા નથી, પરંતુ અહાર કરે છે. ઉપયોગ સહિત દેવો જાણે-દેખે છે અને અહાર કરે છે. આ રીતે વૈમાનિક દેવોમાંબેભંગ ઘટિત થાય છે. (૧) અમાયી સમ્યગ્દષ્ટિ, પરંપરાત્પન્નક, પર્યાપ્ત અને ઉપયોગ સહિત વૈમાનિકદેવોજાણે-દેખે છે અને આહાર કરે છે. (૨) માયીમિથ્યાદષ્ટિ, અનંતરોત્પન્નક, અપર્યાપ્ત, ઉપયોગ રહિત વૈમાનિકદેવો જાણતા-દેખતા નથી અને આહાર કરે છે. (૪) અધ્યવસાય દ્વાર–પ્રશ્ન- હે ભગવન્! અધ્યવસાય એટલે શું? અને અધ્યવસાય કેટલા હોય છે? ઉત્તર-સંસારી જીવોનાઆત્મપરિણામોને અધ્યવસાય કહે છે. ૨૪ દંડકના જીવોમાં અસંખ્યાત અધ્યવસાય હોય છે તે શુભ-પ્રશસ્ત અને અશુભ-અપ્રશસ્ત બંને પ્રકારના હોય છે. (૫) સમ્યક્ત્વાભિગમ દ્વાર–પ્રશ્ન–હે ભગવન્!શુંઔરયિકોસમ્યકજ્વાભિગમસમ્યકત્વને પ્રાપ્ત કરનારા છે,મિથ્યાત્વાભિગમ- મિથ્યાત્વને પ્રાપ્ત કરનારા છે કે સમ્યગૂ–મિથ્યાત્વને પ્રાપ્ત કરનારા હોય છે? - ઉત્તર- હે ગૌતમ! નારકી, દેવો, તિર્યંચ, પંચેન્દ્રિય અને મનુષ્ય, આ સોળ દંડકના જીવો સમ્યકત્વાભિગમી, મિથ્યાત્વાભિગમી અને સમ્યગુમિથ્યાત્વાભિગમી છે. પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય મિથ્યાત્વાભિગમી છે. () પરિચારણા દ્વાર–પ્રશ્ન–શું દેવો (૧) દેવીઓ સહિત અને પરિચારણા સહિત હોય છે? (૨) દેવીઓ સહિત અને પરિચારણાથી રહિત હોય છે? (૩) દેવીઓ રહિત અને પરિચારણા સહિત હોય છે કે (૪) દેવીઓ રહિત અને પરિચારણા રહિત હોય છે? ઉત્તર-(૧) ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પહેલા-બીજા દેવલોકના દેવો દેવીઓ સહિત અને પરિચારણા સહિત છે. (૨) ત્રીજાથી બારમા દેવલોકના દેવો દેવીઓ રહિત અને પરિચારણા સહિત છે. (૩) નવ રૈવેયક અને અનુત્તર વિમાનના દેવો દેવીઓ રહિત અને પરિચારણા રહિત છે. (૪) કોઈ પણ દેવો દેવીઓ સહિત અને પરિચારણા રહિત હોતા નથી. પ્રશ્ન- પરિચારણાના કેટલા પ્રકાર છે? ઉત્તર- પરિચારણાના પાંચ પ્રકાર છે– (૧) કાયિક પરિચારણા, (૨) સ્પર્શ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001174
Book TitlePhool Amra Stokalay
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati
PublisherGuru Pran Foundation Rajkot
Publication Year2005
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Canon, & Agam
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy