SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ સમરું પલપલ સુવ્રત નામ કરી. તે દેવો જો કે આજ્ઞાથી બંધાયેલા હતા, પરંતુ તેમના ચિત્તમાં ભારોભાર વેદના હતી, અને આંખે આંસુનાં પડળ બાઝી ગયાં હતાં. નિરાનંદ ભાવે તેમણે પોતાનું કર્તવ્ય બજાવ્યું, અને પોતાના મુખમાંથી અગ્નિ પ્રગટ કરી, ક્રમશઃ ત્રણે ચિતાઓને પ્રજ્વલિત કરી. એમ કહેવાય છે કે આ બનાવને કરાણે દેવો અગ્નિમુખ છે’ એવી માન્યતા વ્યાપક બની ગઈ. વાયુકુમાર દેવો પવન ફેલાવતા ગયા. અન્ય દેવો ઘી, મધ, કાષ્ઠ આદિનો પ્રક્ષેપ કરતા ગયા. જોતજોતામાં તો બધું જ ભસ્મસાત્! પછી મેઘકુમાર દેવોએ જળવૃષ્ટિ દ્વારા ચિતાઓને ઠારી દીધી. ચિતાઓ ઠરતાં જ ઇન્દ્રો અને દેવોએ પોતપોતાના ક્રમ તેમ જ અધિકાર પ્રમાણે પરમાત્માના અને અન્ય મુનિઓના શરીરની દાઢો તથા અસ્થિફૂલો વીણી લીધાં, અને પોતપોતાનાં દેવવિમાનોમાં નિયત અને ઉચિત સ્થાને તે સ્થાપી દીધાં. આ પછી તે ભૂમિ પર દેવો દ્વારા ત્રણ સ્તૂપોનું નિર્માણ કરાવીને ઇન્દ્રો સપરિવાર નન્દીશ્વર દ્વીપે ગયા, ત્યાં અષ્ટાક્ષિકા મહોત્સવ કરીને પુનઃ સ્વસ્થાને પહોંચી ગયા. દેવોના ગયા પછી, સ્થાનિક મનુષ્યો ચિતાસ્થાનેથી ભસ્મ ગ્રહણ કરવા માંડ્યા. કેટલાકે તે ભસ્મને પોતાના ઘેર કે ગામ લઈ જઈને તેને ધરતીમાં ભંડારી તે પર ટેકરા કે સ્તૂપ બનાવ્યા. કેટલાકે ત્યાં ને ત્યાં તે ભસ્મ પોતાના દેહ ૫૨ ચોપડી દીધી, તો કેટલાક વળી તે વડે કપાળે તિલક કરવા માંડ્યા. ચિતા ત્રણ હતી, તો તેના અગ્નિ પંણ ત્રણ અલગ અલગ હતા. ઘણા લોકોએ તેમાંથી અગ્નિ લીધા અને પોતાના ઘેર તે સ્થાપી દીધા. Jain Education International એમાં મર્યાદા એટલી પ્રવર્તી કે પરમાત્માની ચિતાનો અગ્નિ, અન્ય બે ચિતાના અગ્નિમાં ભેળવી શકાતો, પણ એ બે અગ્નિ, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy