SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શ્રીમુનિસુવ્રતસ્વામી શિવકેતુની ઉત્ક્રાંતિ-યાત્રાનો હવે અંતિમ મુકામ આવી પહોંચ્યો છે. ઉત્ક્રાંતિ સામાન્યતઃ બે પ્રકારની હોય છે : માનવીય ઉત્ક્રાંતિ અને આધ્યાત્મિક ઉત્ક્રાંતિ. એમાં માનવીય ઉત્ક્રાંતિ તે આધુનિક વિજ્ઞાનની કલ્પનાની નીપજ ગણાય. જ્યારે આધ્યાત્મિક ઉત્ક્રાંતિની વાસ્તવિકતા એ વિજ્ઞાનવાદ માટે તો હજી એક રહસ્યમય કલ્પના જ છે. પરંતુ વિજ્ઞાનવાદના તબક્કે કાલ્પનિક જણાતી બાબત, માનવીય ચેતનાના એક ચોક્કસ સ્તરે પહોંચેલા આદમી માટે તથ્યાત્મક વાસ્તવિકતા બની જતી હોય છે, અને તેની પ્રતીતિ વિજ્ઞાનને અધ્યાત્મનો પાકો રંગ લાગે તે પછી જ થઈ શકે છે. આધ્યાત્મિક ક્રાંતિ એટલે આત્માનો ગુણવિકાસ. એક આત્મા, માનવીય, નૈતિક, ધાર્મિક અને આત્મિક સદ્ગુણોને પોતાનામાં વિકસાવતો જ જાય, વિકસાવ્યે જ જાય, તો તેને આપણે તે આત્માની આધ્યાત્મિક ઉત્ક્રાંતિની પ્રક્રિયા તરીકે ઓળખા શકીએ. આત્મિક ગુણોનો આ વિકાસ જ્યારે તેની ચરમ પરિસીમાએ પહોંચે ત્યારે તે સ્થિતિને આપણે ઉત્ક્રાંતિનું ચરમ બિંદુ ગણી શકીએ. શિવકેતુ, પોતાના આત્માની ઉત્ક્રાંતિના આવા જ ચરમબિંદુની સાવ નિકટ હવે આવી પહોંચ્યો છે. શિવકેતુમાંથી કુબેરદત્ત, પછી વજકુંડલ, અને પછીથી શ્રીવર્મ; શિવકેતુના ધન્ય આત્માએ ઉત્ક્રાંતિના આ પ્રત્યેક મુકામે પોતાના સદ્ગુણોનો ઉત્તરોત્તર ચઢતી કળાએ વિકાસ જ સાધ્યા કર્યો છે. તેમાં યે શ્રીવર્મના જન્મમાં, પાછલી અવસ્થા મુનિ અવસ્થામાં Jain Education International For Private & Personal Use Only -- www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy