SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ –૨૨૪ ૪ સમરું પલપલ સવત નામ - તેને પીયરની – પિતા-માતાના હેતની સ્મૃતિ તાજી થઈ, ને તે એકવાર પિતૃગૃહે જવા થનગની ઊઠી. તેણે વનશ્રીને કુમાર પાસે તે જ ક્ષણે મોકલી આપી, બોલાવી લાવવા માટે. કુમાર પૂજાનો સમય થતો હોવાથી દેરાસરે પહોંચવા માટે સાંઢણી પર સવાર થવા જતો હતો, ત્યાં જ વનશ્રીએ તેને આંતર્યો. તેણે વિનંતિ કરી : દેવ! દેવીએ કહાવ્યું છે કે બે પળ માટે પણ મને મળી જાય તો સારું. - કુમાર સમજી ગયો, તે પાછો વળ્યો. પહોંચ્યો અંતેઉરમાં. તેને જોતાં જ વરદત્ત ત્યાંથી બહાર નીકળી ગયો. વસંતશ્રીએ કુમારને પ્રાર્થના કરી : પ્રાણેશ્વર! આ વરદત્ત આવ્યો છે, તેની વાત પર જરા લક્ષ્ય આપો ને? એકવાર મારા પિતગૃહે ચાલો ને? કુમાર : દેવી! એ કેવી રીતે બને? પિતાજીની રજા તો લેવી પડે ને? વસંતશ્રી ઃ તે તો અહીં રહ્યા પણ મંગાવી શકાય, દેવ! આપણને હજી અહીંથી તૈયાર થઈ નીકળતાં છ સાત દિવસ લાગશે જ; આજે જ જો સંદેશવાહકને પિતાજી પાસે મોકલીએ તો એ ઘડિયાજોજન સાંઢણી દ્વારા આટલીવારમાં તો ત્યાં જઈને પાછો આવી જ શકે. રજા મંગાવો તો ખરા. ના આવે તો નહિ જઈએ. વસંતશ્રીની પ્રાર્થનાને કુમાર ઉત્થાપી ન શક્યો. તેણે ત્યાં જ લેખ તૈયાર કર્યો ને એક સેવકને ચંદ્રપુર ભણી રવાના કર્યો. વસંતશ્રી ને વરદત્ત તો ખુશખુશાલ! પછી કુમાર, વસંતશ્રી, વરદત્ત બધાં જિનાલયે ગયાં. કુમારનો સંદેશવાહક મારતી સાંઢણીએ ત્રણ જ દિવસમાં ચંદ્રપુર પહોંચી ગયો. રાજા નરપુંગવે કુમારનો લેખ વાંચ્યો. અંદર લખેલું કે મહારાજાધિરાજને માલૂમ થાય કે હું અહીં પહોંચી ગયો છું. વસંતશ્રી સાથે મારાં લગ્ન થઈ ગયાં છે. હવે તેના પિતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy