SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ -૨૦૦ છે સમરું પલપલ સુવ્રત નામ થાકીને ઊંઘી ગયા હોય. અને હજી તો રાતનો બીજો પહોર ચાલે છે. તે પૂરો થાય, પછી પણ એક આખો પહોર મારે પ્રતીક્ષા કરવાની છે. ચોથા પ્રહરે શ્રીવર્ગ જલસામાંથી બહાર નીકળે એવી આપણી ધારણા છે. એટલે ત્યાં સુધી તો ધીરજ ધરવી જ પડે. ચોથો પ્રહર શરૂ થઈ જાય ને છતાં શ્રીવર્સ ન આવે તો પછી હું રાહ નહિ જોઉં. પછી તો હલ્લો કરી ધાડ પાડી જ દઈશું, ને તેનું બધું જ લૂંટીને પાછા ઠેકાણે પહોંચી જઈશું. નરસિંહ આટલું બોલી રહ્યો ત્યાં જ કોઈકે જોરથી છીંક ખાધી. છીંકનો શબ્દ કાને પડતાં જ તે ચોંક્યો. તેને ડર લાગ્યો હોય કે ગમે તેમ, પણ તેણે તે જ પળે પોતાની ટૂકડીની ફરતે ધનુષ્યધારી સૈનિકોને ગોઠવી દીધા, અને કોઈને પણ આસપાસમાં ફરકવા નહિ દેવાનો આદેશ આપ્યો. વધુમાં, માધવે ગોઠવેલા ગુપ્તચરો “આપ હજી નાચગાનમાં જ મશગૂલ છો, ને દેવી-મંદિરના ગઢનાં દ્વાર હજી બંધ જ છે.' તેવા સમાચાર ત્યાં તેને આપવા આવેલા; તેમણે તેને એમ કહીને પાછા મોકલ્યા કે, તમે ત્રીજો પ્રહર પૂરો થાય ત્યાં સુધી દેવીમંદિરની આજુબાજુ રહો ને પળેપળની હિલચાલે બારીક નજરે જોતાં રહો. ત્રીજો પ્રહર પૂરો થતાં જ શ્રીવર્મની જે હિલચાલ થાય તેની મને તરત જ જાણ કરજો. પોતાની વાત પૂર્ણ કરતાં વાયુકુમારે શ્રીવર્મને કહ્યું : કુમાર! આટલું બન્યું ત્યાં સુધી હું નરસિંહની આગળ-પાછળ જ તેના માણસ તરીકે ગોઠવાઈ રહેલો. આ પછી એ બધાની નજર ચૂકવીને હું છટક્યો છું ને અહીં આવી પહોંચ્યો છું. શ્રીવમેં સ્મિત સાથે તેને થાબડ્યો, અને કહ્યું કે હવે હમણાં તું આટલામાં જ ક્યાંક સૂઈ જા. અત્યારે કશું કામ નથી. નાટક હજી ચાલે છે, એટલે મારું મન પણ બીજે નહિ ચોટે. તું આરામ કર. જરૂર પડ્યે તને બોલાવીને કામગીરી સોંપીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy