SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવર્મ છે ૧૯૩ નથી. અથવા, બળજબરીથી તમે તેને પરણી જાય, તો તે સામે પણ અમને કોઈ વાંધો નથી. એ રીતે પણ તમને સુખ મળતું હોય તો ગમશે. પરંતુ, આ કન્યા શ્રીવમ સિવાય કોઈને સહન નહિ કરે, અને તમારી બળજબરીને કારણે જો જીવતર તજી દેશે, તો ઠીક નહિ થાય; તમારી અપકીર્તિ વધશે. માટે તમે આ કન્યાને જોર-જુલમથી પરણવાનો આગ્રહ જવા દો અને તેની ઈચ્છા પ્રમાણે તેને કરવા દો. - કુમારશ્રી! અમે અત્યંત શાંતિપૂર્વક આ વાત તેને કહી. પણ એ સાંભળતાં જ તેનાં ભવાં ચઢી ગયાં. એ અમને કહે : તમારા રાજાને કહેજો કે પોતાના દીકરાને જ આ બધી શિખામણ આપે. મને શિખામણ આપનારા મારા પિતા મહાબલ રાજા હજી જીવે છે. અમને રચશે તો એમનું કહ્યું કરીશું, નહિ રચે તો નહિ કરીએ; પણ તમારે અમને શીખવાડવાની જરાય જરૂર નથી. કહેજો તમારા રાજાને. અમે કહ્યું : આ તો અમારા રાજાજીનો સંદેશો કહ્યો. એ આપને ન રુચ્યો હોય તો શું કરવું તે આપ જાણો. પરંતુ અમારા રાજકુમાર શ્રીવર્ષે પણ આપને સંદેશો પાઠવ્યો છે. આપ કહો તો તો કહી દઈએ. - સુદર્શને અમને સંમતિ આપી, એટલે અમે કહ્યું : અમારા યુવરાજ કહાવ્યું છે કે નરપુંગવ રાજવી તો ધર્મરાજાના અવતાર છે : સરળ અને સજ્જન. એ તો એટલા બધા ભલા છે કે આખી દુનિયાને, અરે, દુષ્ટ જનોને પણ ભલા જ માનીને ચાલે છે. એટલે સુદર્શન! એમની વાતને બહુ કાને ધરવાની જરૂર નથી. મારી વાત સાંભળ! હું આ વસંતશ્રી સાથે લગ્ન કરવાનો છું. અને ત્યાં આવીને કરવાનો છું; તું જોતો રહીશ ને હું કુંવરીને પરણી જઈશ. સાવધાન રહેજે. પછી એમ ન કહેતો કે મને કીધું નહોતું, નહિ તો હું પડકારત. આ આગમચ જાણ કરી દઉં છું. તારી તાકાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy