SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ સમરું પલપલ સુવ્રત નામ તને અપાવી દઉં. પણ તે ન માન્યો. તેણે કહ્યું કે મારા વાંક વિના મારો અધિકા૨ છીનવાઈ ગયો છે ને મને કાઢી મૂકવામાં આવ્યો છે. આ માનભંગનો બદલો લીધા વિના મને ચેન પડે તેમ નથી. માટે આપવો હોય તો સુષેણ દેશ આપો, નહિ તો કાંઈ નહિ.’ તેનો હઠાગ્રહ જોઈ અમે તેને અપેક્ષિત આજ્ઞાપત્ર સમ્રાટ પાસેથી અપાવ્યો તો ખરો, પણ તેની સહાય માટે એકેય મનુષ્ય-સૈનિક ન ફાળવ્યો કે ન આપ્યું તેને જરા પણ ધન. એ વખતે અમારા મનમાં એમ કે એકલા આજ્ઞાપત્રને આ નિર્ધન ને નિઃસહાય માણસ શું ક૨શે? ભલે જતો. થોડા જ વખતમાં ામ-હિંમત હારીને પાછો આવશે જ; ને તો તે વખતે એ બાપડાને કોઈક નાની મોટી જાગીર અપાવી દેવાશે. અથવા તો મિથ્યાભિમાનને વશ પડેલો બિચારો જીવથી જશે, ને તો તેને તેનાં સારાંમાઠાં કૃત્યોનું ફળ આપોઆપ મળી જશે. પણ તે ક્ષણે અમને કલ્પનાય નહોતી કે આ એકલો અને અસહાય જણાતો માણસ પણ આખા દેશને વશ કરી લેશે અને બધા સામંતો ને મંડલોને જીતી લઈને સિંધુષેણને પણ ઘેરી લેશે. આ તો હમણાં સમ્રાટની આજ્ઞા થવાથી કુસુમપુરમાં જિનાલયના મહોત્સવમાં ભાગ લેવા માટે અમે આ તરફ આવ્યા, ત્યારે અમને જાણ થઈ કે વીરસેને તો ગજબ કર્યો છે! પદ્મખંડનગરને ને સિંધુષેણને જબરો ઘેરો નાખીને તે બેઠો છે. અમે એમ પણ સાંભળ્યું છે કે હવે સિંધુષેણની સહાયતા માટે અનંગદેવ ને મદનદેવ પોતાનાં સૈન્ય સાથે આવી રહ્યા છે. Jain Education International આ બધું જાણ્યા પછી અને સાચું હોવાની ખાતરી થયા પછી અમને એવો વિચાર આવ્યો છે કે એક બાપના બે દીકરા માંહોમાંહે લડી રહ્યા છે તેવા સંજોગોમાં તમે એકનો પક્ષ લ્યો અને બીજાને હરાવવા માટે મહેનત કરો. તો તે કોઈ રીતે ઉચિત નથી જણાતું. તમારે આમાં પક્ષપાત કે ભેદભાવ ભરેલી નીતિ આચરવાનો શો અર્થ? પછી એવું ય બની શકે કે કોઈ બળિયો રાજા કાલે વીરસેનની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy