SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ – ૯૪ સમરું પલપલ રાવત નામ – આ પ્રત્યુત્તર મળતાં સિંધુષણ દ્વિધામાં મૂકાઈ ગયો. શું સાચું? અને શું કરવું? તેનો નિર્ણય લેવામાં તે અટવાઈ પડ્યો. પ્રજા અને સૈન્ય પોતાને ઈચ્છે છે કે નહિ, તેનો તેને કોઈ જ અંદાજ ન હતો ને તેનો ક્યાસ કાઢવાની તેનામાં ક્ષમતા પણ નહોતી. તો તેની પાસે કોઈ સાચો સલાહકાર પણ નહોતો રહ્યો. એટલે આવી દ્વિધાગ્રસ્ત મનોદશામાં તેણે પોતાના મહાનંદ નામના દંડનાયકને મોટી સેના સાથે વીરસેન ઉપર હલ્લો કરવાનો આદેશ આપી દીધો. સેંકડો હાથી, હજારો અશ્વો અને લાખોના પાયદળ સાથે, સજાજ્ઞા અનુસાર મહાનંદ દંડનાયક કુમાર પર આક્રમણ કરવા ચાલી તો નીકળ્યો, પણ તેના હૈયામાં વીરસેન પ્રત્યેનો ભારે લગાવ અને સિંધર્ષણ પ્રત્યે ઘેરી અરચિ હતાં, તેની જાણ માત્ર તેને જ હતી. તેણે માર્ગમાં પોતાના નાયબ સેનાપતિઓને તથા ટુકડીના નાયકોને એકઠા કરી, બધાનાં મનનો તાગ મેળવવા પ્રયત્ન કર્યો, તો તેને સમજાયું કે અંદરખાનેથી તો આખું સૈન્ય વીરસેન તરફ જ ઢળેલું છે; કોઈને સિંધુણ ખપતો નથી. થયું. મહાનંદ સૈન્ય સાથે જેવો વીરસેન કુમારના પડાવની નજીક આવ્યો, તેવું જ તેણે વીરસેનને કહેણ મોકલ્યું કે અમે આપના આશ્રયે છીએ, આપ અમને સમાવી લો! - કુમારે તરત જ તેને તથા તેના સૈન્યને પોતાના પક્ષમાં સ્વીકારીસમાવી લીધું. ફલતઃ કુમારનું બળ બમણું થઈ ગયું. પેલી બાજ. આ સમાચાર મળતાં જ સિંધુણ ધુંવાક્વા થઈ ગયો, ને તેણે પોતે શેષ સૈન્યને લઈને કુમાર પર ચઢી આવવાની તૈયારી આદરી. પરંતુ, સિંધુણના મામાના પુત્ર મહેંદ્રરાજે તેને વાર્યો કે રાજનું! તમારા સૈન્યની આંતરિક વાસ્તવિકતાનું તમારી પાસે કોઈ ચિત્ર નથી. સૈન્ય દ્વિધાગ્રસ્ત હોઈ શકે. તમે જાતે થઈને જાવ, ને સૈન્ય બધું બળવો કરે તો તમારું શું થાય? માટે ઝેરનાં પારખાં રહેવા દો, ને જે સૈન્ય બચ્યું છે તેને કબજે રાખો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy