SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર જાગવો જોઈએ, તે જાતિનો પ્રેમ આત્મા ઉપર જાગ્યો નથી અને માટે જ “શરીર તે બંધન'- એ વાત વધારે વાર સાંભળતાં કંટાળો આવે છે. એ પ્રેમ જાગ્યા પછી તો, રસ્તે ચાલતો આદમી બોલતો હોય અને પોતે ભૂલ્યો હોય, તો હું તે શરીર નહિ, પણ આત્મા : શરીર તો આત્મા ઉપરનું બંધન એ વાત સાંભળવા માટે કાન સરવા બન્યા વિના રહે નહિ. તમે રસ્તેથી ચાલ્યા જતા હો અને કોઈ બે જણા એવી વાત કરતા હોય કે જે સાંભળવાથી તમને લાભ થવાનો સંભવ છે એમ તમને લાગે, તો તમે શું કરો ? એ વાત કરનારાઓની નજદિકમાં આંખ બીજી દિશાએ અને કાન ત્યાં માંડીને ઉભા રહો, એમ બને કે નહિ? એવા વખતે કોઈ કહે કે - “પૂરું સંભળાતું નથી, છતાં કેમ ઊભો છે ?” તો શું કહો ? એવા વખતે કહેનારા કહે છે કે – “ભલે ને બધી વાત સાંભળી શકાય નહિ, પણ જો બે શબ્દો ય કાને પડી જાય તો એ બે શબ્દોમાંથી પણ હું બધો ભાવ કાઢી લેવાની તાકાત ધરાવું છું!” આવી રીતે તમને આત્માની વાત સાંભળી લેવાનું મન થાય ખરું ? ગમે ત્યારે પણ આત્માની વાત કાને પડતાં આનંદ જ આવે, એવા કેટલા ? બહુ થોડા જ ને ? આથી જ કહું છું કે - હું આત્માને માનું છું એમ કહે એટલે એને આત્મા અંગે કહેવાજોગું કાંઈ કહેવાની જરૂર નથી એમ માની લેવા જેવું નથી. શરીરની ચિંતા : “આત્મા છે, અમે આત્માને માનીએ છીએ' એમ કહેનારાઓ તો ઘણા છે, પણ આત્માને તેના વાસ્તવિક રૂપમાં માનનારા કેટલા છે – એની તો અવસરે ખબર પડે. તમને તમારો નોકર એમ કહે કે “શેઠ ! આપની પેઢીને હું મારી પેઢી જ માનું છું. આપની પેઢીના લાભમાં જ હું લાભ માનું છું અને આપની પેઢીના નુકશાનમાં હું નુકશાન માનું છું' તો તમને શું થાય ? તમને એમ ન થાય કે હું સમજું છું કે વધારે બોનસ લેવાને માટે તું આ વાત કરે છે : બાકી પેઢી સળગે તો મારા હૈયામાં જે ભડકા ઉઠે તે આ તારા હૈયામાં ન ઉઠે !તમને એમ થાય છે, કારણ કે તમે સમજો છો કે નોકર એ નોકર. પેઢીનું મને લાગે એટલે એને કોઈ કાળે લાગે નહિ ! જેમ એક દૃષ્ટાંત અપાય છે. એક શેઠે પોતાના નોકરની સચ્ચાઈની ખાત્રી કરવા માટે નોકરને પૂછયું કે “અહીં કોઈ વાર પેઢી સળગે અને એ જ વખતે તારી દાઢી સળગે, તો તું પહેલો કોને ઓલવવા મથે ? મારી પેઢીને કે તારી દાઢીને?” નોકર કહે છે કે “એમાં તે, શેઠ ! ఉదయం నుండి నడిపించిన టీడీపీని టీ આત્માની ન અવસ્થાઓ ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001171
Book TitleAtmani Tran Avasthao
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Kirtisurishwar
PublisherSanmarg Prakashan
Publication Year1999
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy