SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ માને ત્યારે આચાર્યભગવન્ત પણ એવું ચિંતન કરે કે પરમતારક તીર્થંકરભગવાનનું કહ્યું હું નથી માનતો તો પછી મારામાં એવી કઈ લાયકાત છે કે જેથી આ મારું માને ? તો તમારા છોકરાઓ તમારું ન માને ત્યારે તમારે ગુસ્સે થવાની કે માઠું લગાડવાની જરૂર ખરી ? છોકરાઓને સંસ્કાર આપવા પહેલાં તમે જાતે નિયમ કરો કે છોકરાઓ હાજર હોય તો આપણે વડીલની સામે ન બોલવું. આપણા છોકરાઓ આપણું નથી માનતા એ બોલવા પહેલાં આપણે આપણા વડીલનું કેટલું માન્યું છે એ વિચારી લેવાની જરૂર * અધિકારીનું સાતમું લક્ષણ બતાવ્યું છે મતિમાન. જે વિધિનો જ્ઞાતા હોય, અવિધિનાં સ્થાનોનો જાણકાર હોય તેમ જ લાભ-અલાભનો જાણકાર હોય તે જિનાલયનું નિર્માણ કરવાનો અધિકારી છે. જે બુદ્ધિમાન હોય તે અનુપાયમાં પ્રવૃત્તિ ન કરે. જે અનુપાયમાં પ્રવૃત્તિ કરે તે બુદ્ધિમાન ન હોય. બુદ્ધિ વગરના માણસો અનુપાયમાં પ્રવૃત્તિ કરવાના કારણે દષ્ટ એટલે આ લોકસંબંધી અને અદષ્ટ એટલે પરલોકસંબંધી ફળથી વંચિત રહે છે. * આઠમું છેલ્લું લક્ષણ બતાવ્યું છે ધર્મરાગી. જે ધર્મના રાગી હોય પરંતુ ધર્મના ફળરૂપ પુણ્યના કે સુખના રાગી ન હોય તે જ આ અનુષ્ઠાન કરવાના અધિકારી છે. એક મહાત્માએ કહ્યું છે કે ધર્મસ્ય મતિ, ધર્મ નેતિ માનવી: પાપી × નેતિ , પાપ ર્વતિ સારી: છે આથી નક્કી છે કે આપણને ધર્મનું ફળ પુણય કે સુખ ગમે છે પણ ધર્મ નથી ગમતો. આથી જ આપણે ધર્મના અધિકારી નથી. આપણને ધર્મ ગમે છે કે પુણ્ય ? નામના માટે કે કદર થાય એ રીતે ધર્મ કરે તેઓ ધર્મના રાગી નથી, પુણ્યના રાગી છે. જેઓ ધર્મના બદલે ધર્મના ફળના રાગી હોય તેઓ ધર્મમાં વેઠ ઉતાર્યા વગર ન રહે. જેને પુણ્ય જ જોઈએ તેને જેવાતેવો ધર્મ પણ ચાલે. જેને નિર્જરા કરવી હોય તે નિરતિચાર ધર્મ કરવા તત્પર બને. અત્યારે તો આપણે લગભગ અનુષ્ઠાનના રાગી છીએ અથવા તો અનુષ્ઠાનના ફળના રાગી છીએ ને ? ક્રિયા ગમે, ક્રિયાનું ફળ ગમે પણ ક્રિયાથી થનારી ધર્મની નિષ્પત્તિ ન ગમે ને ? એ ધર્મની નિષ્પત્તિ ગમે અને તે માટે ધર્મ કરીએ તો વિષયની કે કષાયની પરિણતિ નહિ જાગે. * ધર્મરાગીનું વર્ણન કરતાં શાસ્ત્રકારપરમર્ષિએ જણાવ્યું છે કે ધર્મરાગી એટલે શ્રતધર્મ અને ચારિત્રધર્મનો અનુરાગી હોય. જે અનુષ્ઠાન કરીએ છીએ તેના પર રાગ રાખવાની વાત નથી કરી. મંદિર પ્રત્યે રાગ છે માટે મંદિર બાંધવાનું છે - એવું નથી કહ્યું. મૃતધર્મ અને ચારિત્રધર્મના અનુરાગના કારણે મંદિર બાંધવાનું કહ્યું છે : આ વસ્તુ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy