SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ હોય-તે બધો, દેરાસર બંધાવ્યા પછી જે શુભભાવની વૃદ્ધિ થાય, ભગવાનની આજ્ઞા નજર સામે આવે, સર્વવિરતિના પરિણામ જાગે, તેનાથી ધોવાઈ જાય. * આપણું પુણ્ય પાપાનુબંધી છે એવું લાગે તો તે પુણ્ય ભોગવવાજેવું કે છોડી દેવા જેવું ? પાપ કરીને પુણ્ય ફળતું હોય તો એવું પુણ્ય નથી ભોગવવું : આટલું પણ નથી બની શકે એવું ? જેનો અનુબંધ સારો ન હોય તે પુણ્ય, પુણ્ય જ નથી : શાસ્ત્રકારો તો કહે છે પુણ્યાનુબંધી પુણ્ય પણ ભોગવવાજેવું નથી, તે પણ છોડી દેવું છે. જ્યારે સારા અનુબંધવાળું પુણ્ય પણ જો ભોગવવાજેવું ન હોય તો ખરાબ અનુબંધવાળું પુણ્ય કઈ રીતે ભોગવાય ? * ગૃહસ્થ હોય, શુભસ્વજનવાળો હોય, અને સાથે વિત્ત એટલે ન્યાયાર્જિત દ્રવ્યવાળો હોય તે અધિકારી છે. દ્રવ્ય વિનાનાનું કાર્ય સિદ્ધ થાય નહિ. પારકે પૈસે પૂરું કરવું પડે અને એમાં પણ લોકો શંકા કરે કે ‘પૈસા લઈ જઈને ઘરમાં વાપરે છે’ – આથી પૂરતા દ્રવ્યવાળાએ મંદિર બંધાવવું. ચોથા નંબરે કુળવાન એટલે સુકુળમાં ઉત્પન્ન થયેલો હોવો જોઈએ. પાંચમા લક્ષણ તરીકે અક્ષુદ્રતા-અકૃપણતા જણાવી છે. કૃપણ ન હોવો જોઈએ. કૃપણ હોય તો ઉદારતાથી વ્યય ન કરી શકે તેથી કામ સારું ન થાય અને શાસનપ્રભાવના ન થાય. અથવા તો અક્રૂર એટલે ક્રૂર ન હોય. કારણ કે ક્રૂર માણસ બીજાને ઉપતાપ - સંતાપ કરનારો હોવાથી લોકોને માટે દ્વેષપાત્ર બને છે. જે દ્વેષનું નિમિત્ત બને તે જિનાલયનિર્માણનો અધિકારી નથી. આજે લગભગ દરેક સંઘમાં આરાધકો અને ટ્રસ્ટીને મેળ જોવા ન મળે એવી સ્થિતિ છે. ટ્રસ્ટીઓ આરાધકની ભૂલ કાઢયા કરે અને આરાધકો ટ્રસ્ટીની ભૂલ શોધ્યા કરે. સામા માણસની ભૂલ બતાવવાનો સ્વભાવએનું નામ ક્ષુદ્રતા. આ ક્ષુદ્રતા ટાળે તે જ અધિકારી બની શકે. - * દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં ય અધિકારિપણા વિના ફળની પ્રાપ્તિ થતી નથી. આથી જ અપુનર્બંધકદશામાં કરેલો ધર્મ જ વિષયકષાયની પરિણતિને પતલી કરનારો બને છે. આપણે અપુનર્બંધકદશા પામ્યા છીએ કે નહિ : આવી શંકા કરવાની જરૂર નથી. દવા લેતી વખતે કોઈ રોગ અસાધ્ય હશે તો-એવી શંકા નથી કરતા ને ? તેમ અહીં પણ આપણે લઘુકર્મિતા પામીને આવ્યા છીએ એમ માનીને કામે લાગવું છે. ‘આહાર તેવો ઓડકાર' આ બધી કહેવતો સત્ત્વહીન માટે છે. સત્ત્વશાળીને માટે કોઈ શાસ્ત્ર નથી. ચોરની પશ્ચિમાં ચોમાસું કરનાર આચાર્યભગવન્તો હતા ને ? શ્રી સ્થૂલિભદ્રમહારાજા ષટ્સ ભોજન લેવા છતાં અવિકારી રહ્યા ને ? આપણે સત્ત્વશીલ હોઈએ તો બાહ્ય કોઈ સંયોગો નડવાના નથી. બાહ્ય સંયોગો નડે છે તે આપણી શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only ૯૫ www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy